ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર ઍમઍસકે પ્રસાદે વેસ્ટઇન્ડિઝ પ્રવાસ માટે ત્રણેય ફોર્મેટમાં ઋષભ પંતને સામેલ કરવા અંગે આજે ફરી ઍકવાર ઍવું કહ્યું હતું કે ભવિષ્યને ધ્યાને લઇને આ નિર્ણય કરાયો છે, તેની પાછળનું કારણ ઍ છે કે અનુભવી વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીઍ આવતા બે મહિના સુધી ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. સૂત્રો ઍવું કહે છે કે ઍમઍસકે પ્રસાદે ધોની સુધી બીસીસીઆઇના મનની વાત પહોંચાડી છે, જેમાં ઍવું કહેવાયું છે કે આ સમય યુવા ખેલાડીઓને સંવારવાનો છે અને હવે તે તેમની યોજનાઓનો હિસ્સો નથી.
ટીમ મેનેજમેન્ટની જો કે અલગ ઇચ્છા : ધોની ઍક મેન્ટર તરીકે ટીમ સાથે જાડાયેલો રહે અને જ્યારે ટીમને જરૂર પડે ત્યારે હાજર રહે
ધોનીઍ જ્યારે પસંદગીકારોને પોતે વેસ્ટઇન્ડિઝ પ્રવાસ માટે ઉપલબ્ધ ન હોવાની વાત કરી ત્યારે ઍવો અંદાજ મંડાવો શરૂ થયો હતો કે ધોની હવે નિવૃત્તિ લઇ લેશે. જો કે સૂત્રો કહે છે કે ટીમ મેનેજમેન્ટ નથી ઇચ્છતું કે ધોની હમણાં નિવૃત્તિ લે. તેમનું ઍવું માનવું છે કે ધોની જા નિવૃત્તિ લઇ લેશે અને પંત ઘાયલ થશે તો ટીમમાં ઍક ખાલીપો ઊભો થશે, જેને ભરવો મુશ્કેલ બની જશે. ટી-20 વર્લ્ડકપને ધ્યાને લઇને ટીમ મેનેજમેન્ટ ઍવું ઇચ્છે છે કે પંતને બહેતર બનાવવાની જ્યાં સુધી વાત છે તો તેમાં ધોની ઍક મેન્ટર તરીકે સાથે રહે અને ટીમને જ્યારે પણ જરૂર પડે ત્યારે તે હાજર રહે.
આ તરફ પ્રસાદે કહ્યું હતું કે નિવૃત્તિ લેવી ઍ આમ તો વ્યક્તિગત નિર્ણય છે અને ધોની જેવા દિગ્ગજ ક્રિકેટર જાણે જ છે કે તેણે ક્યારે નિવૃત્તિ લેવાની છે. પ્રસાદે ધોની સાથે મુલાકાત કરીને તેને પોતાની અને બીસીસીઆઇની ઇચ્છા જણાવી દીધી છે. બંને પક્ષે ઍકબીજાના વિચારો જણાવી દેવાયા છે. સૂત્રોઍ ઍવું પણ કહ્યુ છે કે ધોનીઍ પણ પસંદગીકારોને તેમના પ્લાન સાથે આગળ વધવા જણાવી દીધું છે.