દિલ્લી : રણજી ટ્રોફી તેના અંતિમ ચરણમાં પહોચી ગઇ છે. દિલ્લીની રણજી ટીમ સેમી ફાઇનલમાં પહોચી ગઇ છે. ત્યારે સેમી ફાઇનલ જેવી મહત્વની મેચમાં દિલ્લી ટીમના સુકાની ઇશાંત શર્મા ઇજાગ્રસ્ત થતા 17 ડિસેમ્બરના રોજ બંહાળ સામેની સેમી ફાઇનલ મેચમાં નહી રમી શકે. ત્યારે ઇશાંત શર્માની જગ્યાએ દિલ્લીની ટીમમાં 20 વર્ષના રૂશભ પંતને સમાવવામાં આવ્યો છે.
આમ રૂશભ પંતને દિલ્લી રણજી ટીમનો સુકાની બનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શ્રીલંકા સામેની છેલ્લી ટેસ્ટ મેચમાં ઇજા પહોચી હતી. જેના કારણ તે રણજી ટ્રોફીની સેમી ફાઇનલ મેચ નહી રમી શકે. તો દિલ્લી રણજી ટીમમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને રૂદ્ધીમાન સહા બંગાળ ટીમ તરફથી રમશે.
દિલ્લી રણજી ટીમના મેનેજર કહ્યું હતું કે “ઇશાંત શર્મા શ્રીલંકા સામેની છેલ્લી ટેસ્ટમાં ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. જોકે ઇશાંત શર્મા સાઉથ આફ્રિકા સામેની સીરીઝમાં ટીમ ઇન્ડિયામાં 15 સભ્યોમાં સ્થાન પામ્યો છે. જેના કારણે તે આફ્રિકા સામેની સીરીઝ પહેલા જલ્દી સાજો થઇ જવા માંગે છે.” ઇશાંત શર્માએ અત્યાર સુધી 116 ફસ્ટ ક્લાસ મેચ રમી ચુક્યો છે. જેમાં તેણે 366 વિકેટે ઝડપી છે.