IPLની સંચાલક પરિષદના એક પ્રસ્તાવના અનુસાર આગામી સીઝનમાં વાપસી માટે તૈયાર ચેન્નાઇ સુપરકિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સને ગત 2 વર્ષમાં રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ અને ગુજરાત લાયન્સની તરફથી રમી રહેલા પ્લેયર્સને રિટેન કરવાની સ્વીકૃતિ આપવામાં આવી શકે છે.
આવતા મહિને થનારા વર્કશોપમાં જો ફ્રેન્ચાઇઝીઓ આ મુદ્દા પર તૈયાર થાય તો તેનાથી મહેન્દ્ર સિંહ ધોનીનો ચેન્નાઇ સુપરકિંગ્સમાં પરત આવવાનો ચાન્સ વધી જશે. IPLની સંચાલક પરિષદના એક સભ્ય અનુસાર, ”અમે ઓછામાં ઓછા 3 પ્લેયર્સને રિટેન કરવાનો પ્રસ્તાવ રાખીશું – જેમાં એક ભારતીય અને 2 વિદેશી.”
શું કહ્યું IPLના અધિકારીએ:
અધિકારીએ કહ્યુ હતું કે, ”ગત 2 વર્ષમાં પૂના અને ગુજરાતની તરફથી રમી રહેલા પ્લેયર્સને ચેન્નાઇ સુપરકિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સ દ્વારા રિટેન કરવામાં આવી શકે છે. અમે આવતા મહિને વર્કશોપ દરમિયાન ટીમના માલિકોને સામે પ્રસ્તાવ રાખીશું.”
જો આ પ્રસ્તાવનો સ્વીકાર થશે તો તેનો મતલબ એ છે ગત 2 સીઝનમાં પૂણે સુપરજાયન્ટ્સની તરફથી રમતા ધોની CSK દ્વારા રિટેન થઇ શકે છે. ગુજરાત લાયન્સ તરફથી રમતા સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજાનું નામ પણ આવી શકે છે.
શું કહ્યું રાજીવ શુક્લાએ:
IPLના અધ્યક્ષ રાજીવ શુક્લાને આ અંગે જણાવ્યુ કે, ‘રાઇટ ટૂ મેચ’ સહિત કુલ રિટેન પ્લેયર્સની સંખ્યા ફ્રેન્ચાઇઝીની સહમતિના આધાર પર 3-5 વચ્ચે થઇ શકે છે.