મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેશે ઍવા સમાચાર જાર શોરથી ચાલી રહ્યા છે ત્યારે ઍક ન્યૂઝ ચેનલે ધોનીના ઍક મિત્રના હવાલાથી ઍવા સમાચાર ચલાવ્યા છે કે ધોની ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી દેશ સેવા કરવા માગે છે અને તે સૈન્ય પાસે વિશ્વમાં સૌથી દુર્ગમ ગણાતા વિસ્તાર સિયાચિનમાં પોસ્ટિંગ મેળવવા ઇચ્છે છે. જા કે આ સમાચારને સત્તાવાર કોઇ સમર્થન મળ્યું નથી.
ન્યૂઝ ચેનલના જણાવ્યા અનુસાર ધોનીના મિત્રનું કહેવું છે કે ધોનીની ઍવી ઇચ્છા છે કે તેને થોડા મહિના સિયાચિનમાં પોસ્ટિંગ આપવામાં આવે. તેણે ઍવું ઉમેર્યુ હતું કે ધોની ટૂંકમાં જ સૈન્યનો સંપર્ક કરીને પોતાની ઇચ્છા દર્શાવી શકે છે. ધોની ભારતીય સૈન્યની ટેરિટોરિયલ આર્મીમાં લેફટનન્ટ કર્નલની માનદ પદવી ધરાવે છે, તેણે પેરા ટ્રુપરની સત્તાવાર ટ્રેનિંગ પણ લીધી છે. જા કે આ ઍઅહેવાલ બાબતે ધોની તરફથી કોઇ નિવેદન કે ટીપ્પણી સામે આવી નથી.