જમ્મુ-કાશ્મીરના માજી મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાની બુધવારે ઍન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)ઍ જમ્મુ-કાશ્મીર ક્રિકેટ ઍસોસિઍશનના મની લોન્ડરિંગ કેસ મામલે 4 કલાક સુધી પુછપરછ કરી હતી. સવારે 11.30 વાગ્યાથી શરૂ થયેલી આ પુછપરછ મોડી સાંજ સુધી ચાલી હતી ઍવું અધિકારીઓઍ જણાવ્યું હતું.
જેકે ક્રિકેટ ઍસોસિઍશનના માજી અધ્યક્ષ અબ્દુલ્લા કેન્દ્રીય ઍજન્સના ચંદીગઢ સ્થિત ઝોનલ કાર્યાલયે હાજર થયાં હતા અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ ઍક્ટ હેઠળ તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હોવાનું અઘિકારીઓઍ ઉમેર્યુ હતું. પોતાની આ પુછપરછ પછી ફારુક અબ્દુલ્લાઍ કહ્યું હતું કે મેં કંઇ ખોટું કર્યુ નથી, હું કોઇપણ પ્રકારની તપાસ માટે તૈયાર છું. તેમણે કહ્યું હતું કે બીસીસીઆઇ પાસેથી મળતાં ફંડનો કેવી રીતે ખર્ચ થાય છે તે જોવાનું જેકેસીઍના અધ્યક્ષનું કામ નથી. મેં આજે મારુ સ્ટેટમેન્ટ નોંધાવી દીધું છે, આ બાબત સબ જ્યુડિશ છે અને મને દેશના ન્યાયતંત્ર પર પુરો વિશ્વાસ છે ઍવું તેમણે ઉમેર્યુ હતું.