હૈદરાબાદ : આઇપીઍલની 12મી સિઝનની ટ્રોફી પોતાના હસ્તક વિજેતા ટીમના કેપ્ટનને સોંપવાની ઇચ્છા સીઓઍના સભ્ય ડાયેના ઍદલજીઍ વ્યક્ત કરતાં ઍવોર્ડ વિતરણ સમારોહ વિવાદમાં સપડાવાની સંભાવના ઊભી થઇ હતી, જો કે કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીઍ આઇપીઍલ સીઅોઅો હેમાંગ અમીનને મોકલાયેલા ઍક પત્રને જાઇને ડાયેના ઍદલજીઍ જીદ કરવાનું માંડી વાળ્યું હતું.
બીસીસીઆઇના ઍક અઘિકારીઍ કહ્યું હતું ઍદલજીઍ જયપુરમાં મહિલાઓની ટી-20 ચેલેન્જ સ્પર્ધામાં વિજેતા ટીમને ટ્રોફી આપી હતી અને તેથી તેઓ આઇપીઍલની વિજેતા ટીમને ટ્રોફી આપવા માગતા હતા, જોકે આઇપીઍલની પરંપરા રહી છે કે વિજેતા ટીમને બીસીસીઆઇ અધ્યક્ષ જ ટ્રોફી ઍનાયત કરે છે અને કાર્યવાહક સચિવે લખેલા પત્રમાં સ્પષ્ટ કરાયુ હતું કે જે પરંપરા છે તે અનુસાર જ ચાલવું. તેથી ઍદલજીની ઇચ્છા મનમાં જ રહી ગઇ હતી.