ભારતીય ટીમ સામે વર્લ્ડ કપની મેચમાં રવિવારે 89 રને પરાજીત થયેલી પાકિસ્તાની ટીમ પર માજી કેપ્ટન વસિમ અકરમ સહિતના પાકિસ્તાનના માજી ખેલાડીઓઍ વખોડી હતી. માન્ચેસ્ટરમાં ભારત સામે હાર્યા પછી પાકિસ્તાનનો વર્લ્ડ કપમાં ભારત સામેનો રેકોર્ડ 0-7 થયો છે. વળી રવિવારે ભારતીય ટીમે 89રને મેળવેલો વિજય ઍ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેનો સૌથી મોટો વિજય રહ્યો હતો.
વસીમ અકરમે પાકિસ્તાનના આ પરાજય પછી કહ્યું હતું કે ટીમ પસંદગી ખોટી હતી. વર્લ્ડ કપ પહેલા કોઇ પ્રકારની વ્યુહરચના દેખાઇ નથી. જીત હાર ઍ રમતનો હિસ્સો છે, પણ આ પ્રકારે લડ્યા વગર જ હારી જવું ઍ યોગ્ય નથી. વળી ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાના સરફરાઝના નિર્ણયને પણ માજી ક્રિકેટરોઍ ખોટો ગણાવ્યો હતો. માજી ટેસ્ટ બેટ્સમેન બાસિત અલીઍ કહ્યુંં હતું કે વિરાટ કોહલી દિમાગી રમત રમે છે, તેણે કહ્યું કે તેણે પહેલા બોલિંગ પસંદ કરી હોત અને આપણે તેની જાળમાં ફસાઇ ગયા.
ભારત સામેની મેચમાં કેપ્ટન અને ખેલાડીઓના હાવભાવ સકારાત્મક નહોતા અને ઉર્જાનો પણ અભાવ હતો : મહંમદ યુસુફ
માજી ઝડપી બોલર સિકંદર બખ્ત તો ઍવી વાત લઇને આવ્યો હતો કે પાકિસ્તાની ખેલાડીઓને જવાબદાર બનાવવા માટે તેમને પરફોર્મન્સ આધારિત પેમેન્ટ આપવું જાઇઍ. માજી કેપ્ટન મહંમદ યુસૂફે કહ્યું હતું કે ભારત સામેની દરેક મેચ મહત્વની હોય છે અને આપણે કદી હારવા માગતા નથી. પણ ગઇકાલે ખેલાડીઓને અને કેપ્ટનના હાવભાવ સકારાત્મક નહોતા અને તેમનામાં ઉર્જાનો અભાવ હતો. મોહસીન ખાને કહ્યું હતું કે ભારતીય ટીમ ભલે ગમે તેટલી મજબૂત હોય પણ આપણા ખેલાડીઓઍ જીતવાનો જુસ્સો જ નથી બતાવ્યો.