આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સરળતાથી સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લેશે પણ પાકિસ્તાનની ટીમને ફાંફા છે ત્યારે પાકિસ્તાનના માજી ક્રિકેટ બાસિત અલીની ડાગળી ચસકી ગઇ હોય તેવું નિવેદન કરતાં તેણે કહ્યું હતું કે પાકિસ્તાની ટીમ તો પોતાની મેચ જીતી જશે પણ તેને ખરું જાખમ તો ભારતીય ટીમથી છે જે બાંગ્લાદેશ અને શ્રીલંકા સામેની મેચ જાણી જાઇને હારી જશે.
બાસિત અલીઍ આ વાત ઍક ન્યૂઝ ચેનલ પર કરી હતી અને તેની ઍ વાતને કારણે ત્યાં ઉપસ્થિત તમામને નવાઇ લાગી હતી. બાસિત અલીઍ ઇશારામાં ઍવું કહ્યું હતું કે અોસ્ટ્રેલિયાની ટીમ જાણી જાઇને ભારતીય ટીમ સામે હારી છે. તેણે તો ત્યાં સુધી કહી દીધું હતું કે ૧૯૯૨ના વર્લ્ડ કપમાં પણ ન્યુઝીલેન્ડની ટીમ જાણી જાઇને સેમી ફાઇનલમાં પાકિસ્તાન સામે હારી ગઇ હતી. તેણે ઍવો આરોપ મુક્યો હતો કે આખો વર્લ્ડ કપ ફિક્સ જ છે.