Gautam Gambhir: ગૌતમ ગંભીર કેમ અચાનક ભારત પરત ફરી રહ્યો છે? મોટું કારણ બહાર આવ્યું
Gautam Gambhir પર્થ ટેસ્ટમાં શાનદાર જીત બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે અચાનક જ ભારત પરત ફરવાનો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર, ગૌતમ ગંભીર પારિવારિક કારણોસર ભારત પરત ફરી રહ્યો છે. જોકે, એ સ્પષ્ટ થઈ ગયું છે કે ગંભીર બીજી ટેસ્ટ મેચ પહેલા ઓસ્ટ્રેલિયા પરત ફરશે અને ટીમ સાથે જોડાશે.
Gautam Gambhir ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં, ટીમ ઈન્ડિયાએ પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 295 રનથી શાનદાર જીત નોંધાવી હતી અને હવે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે, 30મી નવેમ્બરથી કેનબેરામાં યોજાનારી ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ મેચ પહેલા ગંભીર ટીમ સાથે નહીં રહે. આ પ્રેક્ટિસ મેચ 2 દિવસની રહેશે અને આ પછી ગંભીર ટીમ સાથે જોડાવા ઓસ્ટ્રેલિયા પરત ફરશે.
India coach Gautam Gambhir heads home for ‘personal reasons,’ and will rejoin the team before the pink-ball Test in Adelaide. Assistant coaches will take charge until then#AUSvIND pic.twitter.com/Wqn3lhKggM
— ESPNcricinfo (@ESPNcricinfo) November 26, 2024
બીજી ટેસ્ટ મેચ 6 ડિસેમ્બરથી રમાશે
Gautam Gambhir પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ સમાપ્ત થયા બાદ હવે ટીમ ઈન્ડિયાએ 6 ડિસેમ્બરથી એડિલેડમાં બીજી ટેસ્ટ મેચ માટે મેદાનમાં ઉતરવાનું છે. આ મેચ પહેલા ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ જશે. તે જ સમયે, ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માપણ આ મેચમાં વાપસી કરી રહ્યા છે, અને તેની સાથે તે ફરી એકવાર ભારતીય ટીમની કેપ્ટનશિપ કરતા જોવા મળશે.