નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ રાહુલ જોહરીના રાજીનામાને સ્વીકાર્યા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ના ચીફ ઓપરેટિંગ ઓફિસર હેમાંગ અમીનને વચગાળાના CEO બનાવ્યા છે. નોંધનીય છે કે, જોહરીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું, પરંતુ બોર્ડે હવે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. બોર્ડના કર્મચારીઓને 13 જુલાઈ, સોમવારે જાણ કરવામાં આવી હતી.
બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું, “તે આ પદ માટે યોગ્ય વ્યક્તિ છે અને ઝવેરી કરતા વધારે, તેમનું યોગદાન બીસીસીઆઇમાં છે.”