ભારતના માજી ઇન્ટરનેશનલ ક્રિકેટર અને નેશનલ ક્રિકેટ ઍકેડમીના સ્પિન કોચ નરેન્દ્ર હિરવાણી દેશની મહિલા ક્રિકેટ ટીમના સ્પિન સલાહકાર તરીકે કામ કરશે. ભારતીય ટીમ વતી 17 ટેસ્ટ અને 18 વનડે રમનારા હિરવાણી મહત્વના પ્રવાસોમાં મહિલા ટીમની સાથે જશે.
ભારતીય મહિલા ટી-20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે તાજેતરમાં જ ટીમને સ્પિન કોચની જરૂર હોવા પર ભાર મુક્યો હતો. બીસીસીઆઇના ઍક અધિકારીઍ કહ્યું હતું કે આ પૂર્ણ સમયની ભૂમિકા નથી, કારણકે હિરવાણી નેશનલ ક્રિકેટ ઍકેડમી સાથે વ્યસ્ત છે. તે ટીમના કેટલાક પ્રવાસમાં તેમની સાથે જશે.
મહિલા ટીમને બેટિંગ કોચની જરૂર નથી, કારણકે ભારતીય ટીમના માજી બેટ્સમેન ડબલ્યુ વી રમન તેમના મુખ્ય કોચ છે. જો કે ટીમના ઍક સૂત્રઍ ઍવું કહ્યું હતું કે પુરૂષ ટીમની જેમ જ મહિલા ટીમને પણ સંપૂર્ણ સપોર્ટ સ્ટાફની જરૂર છે.