Cricket news : India vs England 2nd Test: ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સાથે 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમના વિઝાગ સ્ટેડિયમમાં શ્રેણીની બીજી મેચ રમશે. સિરીઝની પ્રથમ મેચ જીત્યા બાદ ઈંગ્લેન્ડનું મનોબળ ઘણું ઉંચુ છે. હાલમાં ટીમ ઈન્ડિયા સીરિઝમાં મુલાકાતી ટીમથી પાછળ જોવા મળી રહી છે. હૈદરાબાદના મેદાનમાં ટીમ ઈન્ડિયાને પ્રથમ મેચમાં 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ટીમ ઈન્ડિયા બીજી મેચમાં વાપસી કરવા ઈચ્છશે. બીજી તરફ વિશાખાપટ્ટનમના મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ પણ સારો રહ્યો છે.
ભારત વિઝાગમાં ઈંગ્લેન્ડને હરાવ્યું છે.
આ પહેલા વર્ષ 2016માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમના મેદાન પર ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતમાં વિરાટ કોહલીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચની પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરતા વિરાટે 167 રન અને બીજી ઇનિંગમાં 81 રન બનાવ્યા હતા.
બીજી તરફ આર અશ્વિને પણ આ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. અશ્વિને આ મેચની પ્રથમ ઇનિંગમાં બોલિંગ દરમિયાન 5 વિકેટ ઝડપી હતી, જેના કારણે ટીમ ઇન્ડિયાને પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડ પર સારી લીડ મળી હતી. આ સિવાય આર અશ્વિને બીજી ઇનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
શું આ વખતે ટીમ ઈન્ડિયા જીતવામાં સફળ થશે?
ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે તેના અગાઉના શાનદાર રેકોર્ડનું પુનરાવર્તન કરવા ઈચ્છશે. જે ટીમ ઇન્ડિયા માટે એટલું સરળ નથી કારણ કે વિરાટ કોહલી વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં નથી રમી રહ્યો. જે ટીમ માટે મોટો ફટકો છે. આ સિવાય ટીમ ઈન્ડિયાના બેટ્સમેન પણ ખાસ ફોર્મમાં દેખાઈ રહ્યા નથી. જે ખેલાડીઓ ફોર્મમાં હતા તેઓ ઈજાના કારણે બીજી મેચમાં રમી શકશે નહીં. હા, અમે વાત કરી રહ્યા છીએ કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાની. આ બંને બેટ્સમેનોએ પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી.