વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ અને વનડે શ્રેણી જીત્યા બાદ ટી-20 શ્રેણી ગુમાવી દીધી છે. રવિવારે તેની પાસે સિરીઝ પોતાના નામે કરવાની તક હતી પરંતુ તે અહીં 8 વિકેટથી હારી ગઈ હતી. આ પહેલા ભારતીય ટીમ આ શ્રેણીમાં 0-2થી પાછળ હતી, પરંતુ ત્રીજી અને ચોથી મેચ જીતીને તેણે શ્રેણીને બરાબરી પર લાવી દીધી હતી. ટીમની આ હાર બાદ કેપ્ટન રાહુલ દ્રવિડે કહ્યું કે અમે આખી શ્રેણીમાં સારી બેટિંગ કરી નથી. જેના કારણે અમારે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ અમે યુવા અને ઉભરતી ટીમ સાથે રમી રહ્યા હતા તેથી આવું થાય છે.
મેચ ખતમ થયા બાદ મીડિયાને સંબોધિત કરવા આવેલા મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું, ‘અમે 0-2થી પાછળ રહીને શ્રેણીમાં પહોંચ્યા હતા અને આજે અમે અહીં જીતવાના ઉદ્દેશ્ય સાથે આવ્યા હતા પરંતુ તેમ કરી શક્યા નહીં, જે નિરાશાજનક છે. છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમે વધુ સારી રમત દેખાડી અને આ માટે તેમને અભિનંદન.કોચ દ્રવિડે કહ્યું કે અહીં કુલ 165 રન પૂરતા નહોતા અને તેઓએ સરળતાથી પીછો કર્યો.
તેમણે કહ્યું કે અમે યુવાનોને તક આપવા માંગીએ છીએ. કેટલાક ખેલાડીઓએ આ સિરીઝમાં ડેબ્યુ કર્યું હતું અને તેઓએ પોતાની જાતને શ્રેષ્ઠ રીતે રજૂ કરી હતી, જેના કારણે અમે ખુશ છીએ અને આ ખેલાડીઓને ટીમના ભવિષ્ય તરીકે જોઈ રહ્યા છીએ.
કોચ દ્રવિડે કહ્યું, ‘આ શ્રેણીમાં અમે કેટલીક ભૂલો કરી છે. કેટલાક ક્ષેત્રો એવા છે જેમાં સુધારો કરવો જરૂરી છે. અમે તેમને ઓળખી કાઢ્યા છે. પરંતુ યશસ્વી જયસ્વાલ અને તિલક વર્માએ શાનદાર પદાર્પણ કર્યું હતું. બંને ખેલાડીઓએ બતાવ્યું કે જે રીતે તેઓએ IPLમાં પોતાની ભૂમિકા ભજવી હતી, તે જ રીતે તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ રમી શકે છે.’
તેણે કહ્યું કે ખાસ કરીને તે લેફ્ટહેન્ડર બેટ્સમેન છે, જે ટીમના મિડલ ઓર્ડર માટે ખાસ સાબિત થઈ શકે છે. આ સિવાય તેણે આ સિરીઝમાં ડેબ્યૂ કરનાર ફાસ્ટ બોલર મુકેશ કુમારની પણ પ્રશંસા કરી હતી. કોચે કહ્યું કે ટીમે મુકેશને ઘણા મુશ્કેલ પ્રસંગોએ પણ બોલિંગ કરવાની મંજૂરી આપી અને તેણે અહીં સારી બોલિંગ કરીને પોતાને સાબિત કરી બતાવ્યું. તેણે કહ્યું કે આ ખેલાડીઓ હવે આયર્લેન્ડ જશે, તેથી આ પ્રવાસ તેમના માટે પણ ખાસ રહેશે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube