ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા ભારતને વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમમાં બીજી ટેસ્ટમાં ચોથા જ દિવસે શ્રીલંકાને બીજી ઇનીંગમાં ઓલ આઉટ કરીને એક ઇનીંગ અને 239 રનથી હાર આપી હતી. શ્રીલંકાની બીજી ઇનીંગ 166 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. આ જીત સાથે જ ભારતે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝમાં 1-0 થી આગળ નીકળી ગઇ છે. ઉલ્લેખનીય છે કે આ બન્ને ટીમો વચ્ચે કોલકત્તામાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ વરસાદના કારણે ડ્રોમાં પરીણમી હતી.
બીજી ટેસ્ટમાં આજે ચોથા દિવસે શ્રીલંકાએ પોતાના 1 વિકેટે 21 રનને પોતાની ઇનીંગની શરૂઆત કરી હતી. લંચ સુધી ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા શ્રીલંકાને સમયાંતરે ઝટકા આપતા રહ્યા હતા અને લંચ સુધી શ્રીલંકાની 8 વિકેટ પડી ગઇ હતી. લંચ બાદ થોડા સમયમાં જ શ્રીલંકાની ટીમ 166 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. બીજી ઇનીંગમાં ભારતીય બોલરો ઇશાંત શર્મા, રવિન્દ્ર જાડેજા અને ઉમેશ યાદવે 2-2 વિકેટ ઝડપીહતી. તો બીજી તરફ અશ્વિને પોતાના ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીમાં ઝડપી 300 વિકેટ પુરી કરવોનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો.
શ્રીલંકાની બીજી ઇનીંગ
ચોથા દિવસે શ્રીલંકાએ 1 વિકેટે 21 રને પોતાની ઇનીંગની શરૂઆત કરી હતી. જેમાં દિમુથ કરૂણારત્ને 18 રન, લાહીરૂ તિરિમાને 23 રન, એંજેલો મેથ્યુસ 10 રન, નિરોશન ડિકવેલા 4 રન, દાસુન શનાકા 17 રન, દિલરૂવાન પરેરા 0 રન, રંગના હેરાથ 0 રન કર્યા હતા. તો સુકાની દિનેશ ચંદિમલે સૌથી વધુ 53 રન કર્યા હતા.
અશ્વિને આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં ઝડપી 300 વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાવ્યો
શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચમાં અશ્વિને શાનદાર પ્રદર્શનન કરતા અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. અશ્વિને પોતાની ટેસ્ટ કારકિર્દીમાં સૌથી ઝડપી 300 વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તો ક્રિકેટના તમામ ફોર્મેટમાં 500 વિકેટ ઝડનારો છટ્ઠો ભારતીય બોલર બન્યો હતો અને ચાલુ વર્ષ 2017માં તેણે 50 વિકેટનો આંકડો પુરો કર્યો હતો.