વર્લ્ડ કપ 2019માં ગુરૂવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચ વરસાદે ધોઇ નાંખતા બંને ટીમને 1-1 પોઇન્ટ ફાળવી દેવાયો છે. બંને વચ્ચે ઍક જોરદાર મેચ રમાવાની સંભાવનાને કારણે ક્રિકેટ પ્રશંસકોમાં ખાસ્સો ઉત્સાહ હતો અને ભારતીય ચાહકોનો ઉત્સાહ ચરમસીમાઍ હતો, દિવસ ભર તેઓ મેચ શરૂ થવાની રાહ જોતા રહ્યા પણ વરસાદે તેમની આશાઓ ધોઇ નાંખી અને ભારે ઉત્સાહ સાથે મેચ જોવા માટે પધારેલા ભારતીય ચાહકોને નિરાશા સિવાય કંઇ ન મળ્યું નહોતું. અમ્પાયરોઍ મેદાનનું 3 વાર નિરિક્ષણ કર્યુ પણ મેદાન રમતને લાયક ન હોવાથી અંતે મેચ રદ થયેલી જાહેર થઇ હતી.
વર્લ્ડકપ 2019માં ન્યુઝીલેન્ડની આ ચોથી જ્યારે ભારતીય ટીમની આ ત્રીજી મેચ હતી. આ પહેલા ત્રણેય મેચ જીતી ચુક્ેલી કીવી ટીમ આજની મેચના 1 પોઇન્ટ સાથે કુલ 7 પોઇન્ટ લઇને ટોચના સ્થાને છે, જ્યારે ભારતીય ટીમ 5 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે, બીજા સ્થાને 6 પોઇન્ટ સાથે ઓસ્ટ્રેલિયા બેઠું છે. હાલના વર્લ્ડ કપમાં આ સાથે ચોથીવાર ઍવું બન્યું છે કે જ્યારે બંને ટીમને 1-1 પોઇન્ટ ફળવાયો છે અને ત્રીજીવાર ઍવું બન્યું છે કે જેમાં ટોસ ઉછાળ્યા વગર જ મેચ રદ થઇ હોય.
અમ્પાયરોઍ પહેલા 3 વાગ્યે મેદાનનું નિરિક્ષણ કરવાનું નક્કી કર્યુ પણ વરસાદ પડવાનું ચાલું રહેતા 4 વાગ્યે નિરિક્ષણ કરાયું, ત્યારે આઉટ ફિલ્ડ ઘણું ભીનું હતું. તે પછી ભારતીય સમય અનુસાર ફરી 5 વાગ્યે અમ્પાયરોઍ મેદાનનું નિરિક્ષણ કર્યુ તો ફરી આઉટ ફિલ્ડ ભીનું જ લાગ્યું. 6 વાગ્યે ફરી ઍકવાર નિરિક્ષણ કરવાનું નક્કી કરાયું પણ ત્યારે વરસાદ ચાલું જ રહેતા તેને ટાળી દેવાયું હતું અને અંતે 7.30 વાગ્યે અમ્પાયરોઍ મેદાનનું ફરી નિરિક્ષણ કર્યુ અને સુધારાની કોઇ સંભાવના ન લાગતા અંતે મેચ રદ થયેલી જાહેર થઇ હતી.
મેચ રદ થવાના નિર્ણય પછી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીઍ કહ્યું હતું કે આ ઍક યોગ્ય નિર્ણય હતો. આઉટફિલ્ડ રમત યોગ્ય નહોતું અને મારા મતે બંને જીતેલી ટીમને ઍક ઍક પોઇન્ટ અપાયો તે કંઇ ખરાબ નથી. કેન વિલિયમ્સને કહ્યું હતું કે ઍક રીતે જાઇઍ તો આ કોઇ આદર્શ સ્થિતિ નથી પણ જે હોય તે ખેલાડીઓને તેનાથી થોડો આરામ મળી ગયો છે.