ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ વન ડે મેચની સીરીઝની શરૂઆત 22 ઓક્ટોબરે થવાની છે. ભારતમાં થનારી મેચોમાં સ્પિન બોલરોને ઘણી મદદ મળતી હોય છે અને આ વાતને ધ્યાન રાખીને કીવી ટીમે સ્પિનર મિશલ સેંટનર ભારતીય ટીમના બેટ્સમેનો માટે એક પ્લાન તૈયાર કરી લીધો છે. સેંટનરે કહ્યું કે બોલરને વિકેટ પર તેજ ગતિથી ફેંકીશું એટલે બેટ્સમેન ભૂલ કરે. જો તમે કેટલાક ખાલી બોલ નિકાળી શકો તો બેટ્સમેનો પર દબાણ બનશે. તેવામાં તેઓ પોતાની વિકેટ ગુમાવી શકશે. અમે આવો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
કોહલીથી નિપટવાને લઈને સેંટનરે કહ્યું કે આ સહેલું નહીં હોય, વિરાટ ઘણો સારો ખિલાડીછે. તે ઓસ્ટ્રેલિયા સામે સારુ રમ્યો હતો. અમે જ્યારે છેલ્લી વાર આવ્યા હતા તો અમે ઠીકઠાક પ્રદર્શન કર્યું હતું. આશા રાખીએ છીએ કે આ વખતે અમે સારું કરીશું અને સીરીઝ જીતીશું. સેંટરને કહ્યું ક તેમને પાછલો અનુભવ અત્યારે મદદ કરશે. તેમણે વધુમાં કહ્યું કે અમે છેલ્લા કેટલાય સમયથી અહીં નથી રમ્યા. પરંતુ મારા માટે બોલિંગ કરતા સમયે જૂના અનુભવ મદદ અને મહત્વના રહેશે. મે આ દિશામાં કામ કર્યું છે. સેંટરને કહ્યું કે પૂર્વ સ્પિનર ડેનિયલ વિટોરીને ભારતમાં બોલિંગનો ઘણો અનુભવ છે અને તેમણે આ વિશે મને સલાહ આપી છે.