ઓસ્ટ્રેલિયાથી સિરીઝ જીત્યા બાદ ભારતનો મુકાબલો હવે ન્યૂઝીલેન્ડથી થશે. રવિવારથી શરૂ થનારા આ મુકાબલામાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ વન ડે મેચ રમાશે. પહેલી મેચ રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ભારતને ટક્કર આપવા માટે ન્યૂઝીલેન્ડ તમામ રીતે તૈયાર છે. મેચથી પહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સે કહ્યું કે ભારતીય ટીમને તેની જ ધરતી પર હરાવવું હંમેશા મુશ્કિલ સાબિત રહ્યું છે. પરંતુ તેઓ પણ મેજબાન ટીમને પડકાર આપવા માટે તૈયાર છે. ભારત સામે ત્રણ વન ડે અને ત્રણ ટી-20 મેચની સિમિત ઓવર સીરીઝ માટે કીવી ટીમ ભારત પહોંચી ચૂકી છે.
મહેમાન ટીમના કેપ્ટન અહીં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભારતનો પ્રવાસ હંમેશા મુશ્કિલ હોય છે અને તેમની જ જમીન પર હરવાવું પણ મુશ્કેચ છે. પરંતુ અમે મેજબાન ટીમને પડકાર આપવા માટે તૈયાર છીએ. વિલિયમ્સે વીતેલા વર્ષમાં ભારતનો પ્રવાસ યાદ કરતાક કહ્યું કે ભારતની જમીન પર જીત મેળવવી મુશ્કેલ હોય છે અને હાલમાં જ અહીં આવેલી ઘણી વિપક્શી ટીમે પણ એવો અનુભવ કર્યો છે. જો ગયા પ્રવાસને યાદ કરીએ તો અમે ઘણું સારું ક્રિકેટ રમ્યુ પરંતુ છેલ્લી મેચમાં અમે દરેક વિભાગમાં સારું પ્રદર્શન ના કરી શકયા જે નિરાશાજનક રહ્યું. પરંતુ અમે પાછા આવીને અમે સારો અનુભવ કરી રહ્યા છીએ. તેમણે તૈયારીઓને લઈને કહ્યું કે અમારી ટીમના ઘણા ખિલાડીઓ ભારતમાં રમવાનો અનુભવ ધરાવે છે પરંતુ તો પણ અમે અહીં પોતાને ટકાવી નથી શકતા અને અમને ઘણી તૈયારીની જરૂર છે. વિશ્વાસ છે કે 17 અને 19 ઓક્ટોબરે પોતાની પ્રેક્ટિસ મેચમાં અમને ફાયદો થશે.
ભારતીય ટીમને લઈને ન્યૂઝીલેન્ડના ખિલાડીઓ માને છે કે મેજબાન ટીમની પાસે કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલ જૈવા બે મહત્વના સ્પિનર છે. અને તેઓ સીરીઝને પડકાર આપી શકે છે. તેમણે કહ્યું કે કુલદીપ અને ચહલ બંને પ્રતિભાશાળી બોલર છે. તેમણે આઈપીએલના ઘણા અનુભવ છે. અને છેલ્લી સીરીઝમાં તેઓ બંને ખૂબ જ સફળ પણ રહ્યા. અમારા ખિલાડીઓ માટે તેમનો સામનો કરવો નિશ્ચિત મુશ્કિલ થશે. વિલિયમ્સે કહ્યું કે દુનિયાભરમાં ચાઈનામેન બોલર ઓછા જ જોવા મળે છે અને જે હંમેશા સફળ હોય છે. કુલદીપ અને ચહલ બંને કાંડાના બોલર છે પરંતુ અમારા ખિલાડીઓ જો આ પરિસ્થિતીઓમાં પોતાને સાચવી લે તો તેમની સામે સારું પ્રદર્શન કરી શકીશું.