નવી દિલ્હી : બેટ્સમેન સુરેશ રૈના સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી આઈપીએલ -2020 માં રમશે નહીં. તે વ્યક્તિગત કારણોસર યુએઈથી ઘરે પરત આવ્યો છે. સુરેશ રૈનાની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કે એસ વિશ્વનાથન અનુસાર, તે આઈપીએલની આખી સીઝન માટે રમી શકશે નહીં.
વિશ્વનાથનના જણાવ્યા અનુસાર ચેન્નાઈ સુપરકિંગ્સ હાલમાં બેટ્સમેન સુરેશ રૈના અને તેના પરિવારના સમર્થનમાં છે.
Suresh Raina has returned to India for personal reasons and will be unavailable for the remainder of the IPL season. Chennai Super Kings offers complete support to Suresh and his family during this time.
KS Viswanathan
CEO— Chennai Super Kings (@ChennaiIPL) August 29, 2020
મહત્વનું છે કે, આઈપીએલ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમવામાં આવશે. બધી ટીમો યુએઈ પહોંચી ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ સિવાય તમામ ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સનો એક ખેલાડી અને ટીમના 12 સપોર્ટ સ્ટાફને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો. કોરોના કેસ પછી, ટીમે એક સપ્તાહ માટે ક્વોરેન્ટીન સમયગાળો વધાર્યો હતો.