IPL 2025ની ફાઈનલમાં પંજાબ કિંગ્સ RCB સામે ટકરાશે, ઐયર વિજયી બનશે તો બનશે અનોખો રેકોર્ડ ધરાવતો પ્રથમ કેપ્ટન
IPL 2025 હવે અંતિમ પડાવે છે, જ્યાં ફાઈનલ મુકાબલો પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે થવાનો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી આ ટાઇટલ મેચમાં IPLને એક નવો વિજેતા મળશે, કારણ કે આ બંને ટીમોએ હજુ સુધી કદી ખિતાબ જીતી નથી. મેચથી એક દિવસ પહેલાં સૌથી વધુ ચર્ચાઈ રહેલો નામ છે – શ્રેયસ ઐયર.
શ્રેયસ ઐયરે પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરવામાં આ સિઝનમાં શાનદાર કામગીરી કરી છે. ક્વોલિફાયર-2માં પંજાબે પાંચ વખતની વિજેતા મુંબઈ ઇન્ડિયન્સને હરાવી, ઈતિહાસમાં બીજીવાર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. જો પંજાબ આજે વિજય મેળવશે, તો શ્રેયસ ઐયર આઈપીએલ ઈતિહાસમાં પ્રથમ એવા કેપ્ટન બનશે, જેણે બે અલગ અલગ ટીમો માટે ટ્રોફી જીતવી હશે.
ગયા વર્ષે ઐયર કોલકાતા નાઈટ રાઈડર્સને ચેમ્પિયન બનાવવામાં સફળ રહ્યા હતા. હવે જો તેઓ પંજાબ માટે પણ ખિતાબ જીતે છે, તો તેઓ રોહિત શર્મા અને એમએસ ધોની જેવા દિગ્ગજોની યાદીમાં નવા પ્રકારથી પ્રવેશ કરશે. કારણ કે ધોનીએ ચેન્નાઈ અને રોહિતે માત્ર મુંબઈ માટે જ ટાઇટલ જીત્યા છે.
તદુપરાંત, ઐયર પાસે લગાતાર બે સીઝનમાં IPL ટાઇટલ જીતવાનો પણ મોકો છે, જે આજ સુધી ફક્ત રોહિત (2019-20) અને ધોની (2010-11)ને જ મળ્યો છે.
આજની ફાઈનલમાં શ્રેયસ ઐયર માટે એટલી વાત નહીં કે તે એક મેચ જીતીને ચેમ્પિયન બની શકે છે, પણ તે આ સાથે IPLના ઈતિહાસમાં એક નવી સિદ્ધિનો અધ્યાય લખી શકે છે. હવે જોવાનું એ છે કે ઐયર પોતાની ટીમને વિજય સુધી લઈ જઈને પોતાનું નામ અનોખા રેકોર્ડ સાથે જોડે છે કે નહીં.