વડોદરા : બરોડા ક્રિકેટ એસો.માં ચાલતા આંતરિક રાજકારણનો ભોગ બનેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર્સ ઇરફાન અને યુસુફે છત્તીસગઢ ક્રિકેટ એસો. માટે રમવા બીસીસીઆઇ અને બીસીએ પાસે એનઓસી માગતી અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે. શ્રેષ્ઠ પ્રદર્શન છતાં ટીમમાં સમાવેશ ન થતાં અગાઉ ભાર્ગવ ભટ્ટ અને હવે ઇરફાન અને યુસુફ પઠાણ બીસીએને બાય-બાય કરી શકે છે. મધ્ય પ્રદેશ સામે રણજીની પહેલી મેચમાં યુસુફે ૨૪૭ અને ઇરફાને ૮૪ રન કર્યા, ઇરફાને એક વિકેટ પણ લીધી હતી. શ્રેષ્ઠ પ્રદર્શન છતાં ચોક્કસ વ્યક્તિના ઇશારે પઠાણ બંધુઓ ટીમમાંથી પડતા મુકાયા હોઇ શકે છે.
બીસીએના આંતરિક રાજકારણનો ભોગ બનેલા ઇરફાન-યુસુફે છત્તીસગઢક્રિકેટ એસો. માટે રમવા બીસીસીઆઇ અને બીસીએ પાસે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ માગતી અરજી કરી હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે. બીસીએના કેટલાક પૂર્વ હોદ્દેદારોને ઇશારે ચોક્કસ એકેડમીના ખેલાડીઓની જ પસંદગી કરાતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. રણજી, અં-૧૯ કે અં-૨૩ની ટીમ હોય ખેલાડીઓની પસંદગીને લઇને છાશવારે સિલેક્ટર્સ સામે આંગળી ચીંધાય છે. ભલામણોને આધારે ખેલાડીનો ટીમમાં સમાવેશ થવાના આક્ષેપો પણ બીસીએ સામે અગાઉ
હમણાં કોઇ કોમેન્ટ કરવી નથી : ઇરફાન
અન્ય ક્રિકેટ એસો. માટે રમવા બીસીસીઆઇ-બીસીએ પાસે એનઓસી માગ્યું હોવાના મુદ્દે ઇરફાન પઠાણે જણાવ્યું હતું કે, હમણાં મારે કોઇ કોમેન્ટ કરવી નથી.
બીસીએના કોચે ક્રિકેટર્સ સમક્ષ રોષ ઠાલવ્યો ?
ઓરિસ્સા સામે મેચ ડ્રો થયાં બાદ બરોડાના કોચે ડ્રેસિંગ રૂમમાં ક્રિકેટર્સ સમક્ષ સિલેક્ટર્સને લઇને રોષ ઠાલવ્યો હતો. કેટલાક ક્રિકેટર્સે આ અંગે સિલેક્ટર્સને ફરિયાદ પણ કરી હતી. આ અંગે કોચનું કહેવું છે કે, આ પ્રકારનો કોઇ બનાવ બન્યો નથી, જ્યારે સિલેક્ટર્સનો સંપર્ક કરતાં થઇ શક્યો ન હતો.