ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર ઍમઍસકે પ્રસાદે હાલની પસંદગી સમિતિમાં સામેલ માજી ખેલાડીઓના સરેરાશ ઇન્ટરનેશનલ રેકોર્ડ પર ટીકાકારો દ્વારા સતત કરાતા સવાલ અને ટીકાઓનો જવાબ આપતા કહ્યું હતું કે તમે વધુ મેચ રમી છે ઍટલે તમને વધુ જ્ઞાન છે ઍવું ઍ લોકોની વાતને હું સ્વીકારતો નથી. પ્રસાદે ઍક ઇન્ટરવ્યુમાં ઘણાં મુદ્દાઓ પર પોતાનો મત બેધડક મુક્યો હતો. તેમણે પોતે માત્ર 6 ટેસ્ટ રમ્યા હોવા મામલે અને પસંદગી સમિતિના તમામ સભ્યો મળીને 13 ટેસ્ટ રમવાનો અનુભવ હોવાના મુદ્દે તેમણે પોતાની વાત કરી હતી.
તેમને જ્યારે પુછવામાં આવ્યું કે પસંદગી સમિતિના અનુભવ અંગે થઇ રહેલી વાતોથી શું તમને દુખ થાય છે, ત્યારે પ્રસાદે કહ્યું હતું કે પસંદગી સમિતિમાં સામેલ તમામ સભ્યોઍ વિવિધ ફોર્મેટમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યુ છે અને અમારી નિયુક્તી સમયે ઍ જ માપદંડ હતો. ઇન્ટરનેશનલ ક્રિકેટ ઉપરાંત અમે 477 ફર્સ્ટક્લાસ મેચ રમી છે. અમારા કાર્યકાળ દરમિયાન અમે કુલ 200થી વધુ ફર્સ્ટક્લાસ મેચ જાઇ છે. શું આ આંકડા જાઇને ઍવું નથી લાગતું કે ઍક ખેલાડી અને પસંદગીકાર તરીકે અમે યોગ્ય કૌશલ્યને ઓળખવાની ક્ષમતા ધરાવીઍ છીઍ?
પસંદગીકારોઍ કુલ મળીને 13 ટેસ્ટ રમી હોવા મામલે ઉઠાવાતા સવાલ અંગે પ્રસાદે કહ્યું હતું કે જો કોઇ અમારા ઇન્ટરનેશનલ અનુભવ સામે સવાલ કરતું હોય તો તેમણે ઇંગ્લેન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડની હાલની પસંદગી સમિતિના અધ્યક્ષ ઍડ સ્મિથને જોવા જાઇઍ. જેમણે માત્ર 1 ટેસ્ટ રમી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર ટ્રેવર હોન્સે માત્ર 7 ટેસ્ટ રમી છે અને 128 ટેસ્ટ તેમજ 244 વન ડે રમનારો માર્ક વો તેના હાથ નીચે કામ કરે છે. જ્યારે આ દેશોમાં આવો કોઇ મુદ્દો નથી તો આપણા દેશમાં કેવી રીતે તે હોઇ શકે.
જો ઇન્ટરનેશનલ અનુભવ જ મોટી વાત હોય તો રાજ સિંહ ડુંગરપુર તો પસંદગી સમિતિના અધ્યક્ષ બની જ ન શક્યા હોત, કારણ તેમણે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યું જ નહોતું અને જો ઍમ થયું હોત તો સચિન તેંદુલકર 16 વર્ષની વયે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમી જ ન શક્યો હોત. પ્રસાદે પોતાને નબળા ગણાવનારા માજી ખેલાડીઓ અંગે કહ્યું હતું કે અમે દિગ્ગજ ક્રિકેટરોનું સન્માન કરીઍ છીઍ. તેમની પાસે પોતાનો દૃષ્ટિકોણ છે અને તેથી તેમની ટીપ્પણીથી દુખી થવાને બદલે અમે વધુ મજબૂત થઇઍ છીઍ.