રવિવારે ઇંગ્લેન્ડ સામેની ફાઇનલ ન હારવા છતાં હારેલા જાહેર થયેલા ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ઍવું કહ્યું હતું કે ઍ સ્વીકારવું મુશ્કેલ છે કે ચોગ્ગા અને છગ્ગાની સંખ્યાને આધારે મારી ટીમ વર્લ્ડકપથી વંચિત રહી ગઇ. તેણે કહ્યું હતું કે તમે હસો કે રડો, તે તમારો નિર્ણય છે.
વધુમાં તેણે ઉમેર્યું હતું કે કોઇને ગુસ્સો નથી, માત્ર નિરાશા છે જે અમે સૌ અનુભવી રહ્યા છીઍ. કેટલીક બાબતો આપણા અંકુશ હેઠળની નથી હોતી. મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં તેને જ્યારે બાઉન્ડરી સંબંધી નિયમ અંગે સવાલ કરાયો ત્યારે તે બોલ્યો હતો કે તમે કદી ઍવું વિચાર્યુ હતું કે આવા સવાલ પુછી શકાશે, મે પણ કદી વિચાર્યુ નહોતું. બે પ્રયાસ પછી પણ વિજેતા નક્કી ન થયો અને તે પછી જે થયું તેવુંં કોઇ ટીમ નહીં ઇચ્છે. પણ નિયમ તો નિયમ છે.