Karun Nair Test comeback: 8 વર્ષ બાદ કરુણ નાયરની વાપસી, 77 ટેસ્ટ ચૂકી ચુક્યા છે; જાણો કોણ છે આ યાદીમાં તેમના જેવી લાંબી રાહ જોનાર બીજા ખેલાડીઓ?
Karun Nair Test comeback: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી દરમિયાન કરુણ નાયરની વાપસી ચર્ચાનું કેન્દ્ર બની છે. 2017 પછી પહેલીવાર ટેસ્ટ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યો છે. આ વાકયને લઈને નાયરે ભારત માટે 77 ટેસ્ટ મેચ ચૂકી દીધી છે. આવી લાંબી ગેરહાજરી પછી ટીમમાં કમબેક કરનાર નાયર માત્ર એકલો ખેલાડી નથી. ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં આવા ઘણા ખેલાડીઓ રહ્યા છે જેમણે બે ટેસ્ટ વચ્ચે લાંબો સમય વિતાવ્યો છે.
ચાલો જાણીએ ભારત માટે બે ટેસ્ટ મેચ વચ્ચે સૌથી લાંબો ગાળો ધરાવનારા ટોપ-5 ભારતીય ખેલાડીઓ કોણ છે:
1. જયદેવ ઉનડકટ – 118 મેચ
ઉનડકટે 2010માં પોતાની પહેલી ટેસ્ટ રમ્યા પછી 12 વર્ષ પછી 2022માં ભારત માટે બીજી ટેસ્ટ રમવાની તક મેળવી. આ દરમિયાન તેણે 118 ટેસ્ટ ચૂકી દીધી.
2. દિનેશ કાર્તિક – 87 મેચ
કાર્તિક 2010 પછી 8 વર્ષ સુધી ટીમમાંથી બહાર રહ્યો અને 2018માં વાપસી કરી. આ ગાળામાં તેણે 87 ટેસ્ટ ચૂકી.
3. પાર્થિવ પટેલ – 83 મેચ
પાર્થિવે 2008 પછી ભારત માટે રમવાનું બંધ કર્યું અને 2016માં ફરી એક ટેસ્ટમાં રમ્યો. આ સમય દરમિયાન 83 ટેસ્ટ તેની ગેરહાજરીમાં રમાયા.
4. કરુણ નાયર – 77 મેચ
નાયરે 2017 બાદ હવે 2025માં વાપસી કરી છે. 8 વર્ષની ગેરહાજરી દરમિયાન તેણે 77 ટેસ્ટ ચૂકી અને સ્થાનિક ક્રિકેટમાં શાનદાર ફોર્મ સાથે પોતાની પોઝિશન ફરી મેળવવા માંડી.
5. અભિનવ મુકુંદ – 56 મેચ
મુકુંદે 2011માં છેલ્લી ટેસ્ટ રમ્યા પછી 2017માં વાપસી કરી. આ દરમ્યાન 56 ટેસ્ટ રમાયા જેમાં તે ટીમમાં ન હતો.
આ ખેલાડીઓએ સાબિત કર્યું કે સંઘર્ષ, ધીરજ અને સતત પ્રયાસથી, ટીમ ઇન્ડિયામાં વાપસી શક્ય છે – બધી મુશ્કેલીઓ સામે પણ.