કેરલ હાઈકોર્ટના બીસીસીઆઈ દ્વારા ક્રિકેટર એસ.શ્રીસંત પર લગાવેલો આજીવન પ્રતિબંધને યથાવત રાખ્યો છે. બીસીસીઆઈએ આની પહેલા કેરલ ઉચ્ચ ન્યાયાલયમાં એક અરજી દાખલ કરી હતી. બીસીસીઆઈએ અપીલમાં કહ્યું હતું કે આ ક્રિકેટર પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય તેમના વિરુદ્ધ મળેલા પુરાવાના આધાર પર કરાયો હતો.
ચીફ જસ્ટીસ નવનીતિ પ્રસાદ સિંહની અધ્યક્શતાવાળી ડિવિઝન બેંચે નિર્ણય કર્યો કે કોર્ટ બીસીસીઆઈ દ્વારા લગાવેલા આજીવન પ્રતિબંધની ન્યાયિક સમિક્શા નહીં કરી શકે. એટલે જ બીસીસીઆઈની અપીલને સ્વીકાર કરાઈ છે. શ્રીસંત કોર્ટના આ નિર્ણયથી ઘણો નારાજ છે અને તેમણે આ નિર્ણય પછી પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ અત્યારસુધીનો સૌથી ખરાબ નિર્ણય છે. કોર્ટે અપીલ પર બે દિવસ સુનાવણી કર્યા બાદ નિર્ણય કર્યો. આ નિર્ણય બાદ શ્રીસંત રણજી ટ્રોફીની આગામી મેચોમાં પણ કેરલની ટીમ તરફથી નહીં રમી શકે. આની સાથે જ બીસીસીઆઈ અને કોઈ રાજ્ય ક્રિકેટ મંચ અંતર્ગત થનારી પ્રેકિ્ટસ સેશનનો પણ હિસ્સો નહી બની શકે.