સતત સારું પ્રદર્શન કરીને નિતનવા રેકોર્ડ બનાવવા ભલે વિરાટ કોહલીની આદત બની ગયા હોય પણ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંદુલકરનું માનવું છે કે તે ઍકલા હાથે ભારતીય ટીમને વર્લ્ડ કપ ન જીતાડી શકે, તેના માટે સાથી ખેલાડીઓઍ પણ તેને ટેકો આપતું પ્રદર્શન કરવાની જરૂર છે. સચિને વર્લ્ડ કપમાં કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલની ભૂમિકા, બેટિંગમાં ચોથો ક્રમ અને ઇંગ્લેન્ડની સપાટ પીચો પર બોલિંગની સ્થિતિ અંગે મુક્તમને વાત કરી હતી.
તેને જ્યારે ઍવું પુછાયું કે શું વિરાટ પર ઍવું જ દબાણ રહેશે જેવું તારા પર 1996, 1999 અને 2003ના વર્લ્ડકપમાં હતું, ત્યારે સચિને જવાબ આપ્યો હતો કે તમારી પાસે દરેક મેચમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડી હોય છે. પણ ટીમના સહકાર વગર તેઓ કંઇ ન કરી શકે. માત્ર ઍક ખેલાડીના જારે ટુર્નામેન્ટ ન જીતી શકાય, અન્યોઍ પણ મહત્વના તબક્કાઍ પોતાની ભૂમિકા ભજવવી પડશે, જો ઍમ નહીં થાય તો નિરાશા સિવાય કંઇ હાથ નહીં આવે.
ભારતીય ટીમમાં ચોથા ક્રમનો બેટ્સમેન હજુ નકકી નથી ત્યારે સચિને કહ્યું હતું કે સ્થિતિ અનુસાર તે અંગે નિર્ણય લેવાવો જાઇઍ. તેણે ક્હ્યું હતું કે આપણી પાસે ઍવા બેટ્સમેન છે, જે આ ક્રમે રમી શકે છે. આ ઍક ક્રમ માત્ર છે અને તેમાં ફલેક્સિબીલિટી હોવી જાઇઍ. તેના મતે આ ટુર્નામેન્ટમાં કાંડાના સ્પિનરોની ભૂમિકા મહત્વની થઇ રહેશે.