ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ વર્લ્ડકપ પછી આરામ કરવાનો કરેલો વિચાર પડતો મુકીને હવે વેસ્ટઇન્ડિઝના પ્રવાસે જવાની તૈયારી બતાવી છે. વર્લ્ડકપની સેમી ફાઇનલમાં ટીમના પરાજય પછી કોહલીની કેપ્ટનશિપ સામે સવાલો થવા માંડ્યા હતા અને તેના સ્થાને રોહિત શર્માને વનડે ટીમનું સુકાન સોંપવાની તૈયારી થવા માંડી હતી, ત્યારે કોહલીઍ હવે વિન્ડીઝ પ્રવાસે જવાની તૈયારી બતાવી હોવાના અહેવાલ છે.
ભારતીય ટીમ વેસ્ટઇન્ડિઝ સામે ૩ ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર વચ્ચે 3 ટી-20, 3 વનડે અને 2 ટેસ્ટની સિરીઝ રમવાની છે. ઍક અખબારના અહેવાલ અનુસાર વિરાટ કોહલી હવે આ પ્રવાસે જઇ શકે છે. ઍવું માનવામાં આવે છે કે કેપ્ટનશિપ છીનવાઇ જવાની સંભાવનાને ધ્યાને લઇ કોહલીઍ આ નિર્ણય લીધો છે અને તે પોતાની નેતૃત્વશક્તિ સાબિત કરવાનો ઇરાદો ધરાવતો હોવાનું માનવામાં આવે છે.