ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલા વર્લ્ડ કપમાં 16મી જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ પ્રોફાઇલ મેચ રમાવાની છે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે રમાનારી આ મેચ માટે ભારતીય ટીમને માજી દિગ્ગજ બેટ્સમેન સચિન તેંદુલકરે પાકિસ્તાનને પછાડવા માટે 4 મુળ મંત્ર આપ્યા છે. આ મંત્ર છે વહાબ રિયાઝ-મહંમદ આમિરથી સતર્ક રહો, રોહિત અને વિરાટ વિકેટ પર ટકી રહે, હકારાત્મક વલણ અપનાવવાની સાથે દરેક વિભાગમાં આક્રમક બનો.
સચિન તેંદુલકરે વિરાટ કોહલીની ટીમને પાકિસ્તાની ટીમના બે ડાબોડી બોલર વહાબ રિયાઝ અને મહંમદ આમિરથી સતર્ક રહેવાની સલાહ આપી છે. સચિને કહ્યું હતું કે ભારતીય બેટ્સમેનોઍ આમિર સામે આક્રમક વલણ અપનાવવું જાઇઍ. સાથે જ સચિને કહ્યું છે કે રોહિત અને વિરાટ બે સૌથી અનુભવી ખેલાડી છે અને પાકિસ્તાન આ મેચમાં તેમને બંનેને ઝડપથી આઉટ કરવા માગશે. આમિર અને વહાબ શરૂઆતમાં તેમની વિકેટ લઇને ભારતીય ટીમને ભીંસમાં લેવા માગશે પણ રોહિત અને વિરાટે લાંબી ઇનિંગ રમવા પર ધ્યાન કેન્દ્રિત રાખવું જાઇઍ. યોજના આ જ હોવી જાઇઍ અને બાકીના બેટ્સમેનો તેમની આજુ બાજુ ઇનિંગ બિલ્ડ કરે.
તેંદુલકરે કહ્યું હતું કે હું ઇચ્છીશ કે આમિર શામે નકારાત્મકતાથી ડોટ બોલ રમવાને બદલે તક મળતાની સાથે ભારતીય બેટ્મસેનો શોટ રમે અને પોઝિટીવ રહે. પિચ પર પોઝિટીવ રહીને ડિફેન્ડ કરવાની જરૂર માત્ર છે, કંઇ અલગ કરવાનું નથી. સાથે જ તેણે ઍવું ઉમેયુ્ર્ર હતું કે આપણે દરેક વિભાગમાં આક્રમક થવાની જરૂર છે. બોડી લેંગ્વેજ ખુબ જ મહત્વપૂર્ણ છે.