સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી જસ્ટિસ લોઢા કમિટીના સુધારાઓને લાગુ કરવાની દિશામાં વહીવટદારોની સમિતિ (સીઓઍ)ઍ ગુરૂવારે ઍવો નિર્દેશ આપ્યો હતો કે પસંદગી સમિતિના અધ્યક્ષ જ પસંદગી સંબંધિત બેઠકોના કન્વીનર રહેશે. વિદેશ પ્રવાસો માટેની બેઠક વહીવટી મેનેજર બોલાવશે. આ નિર્દેશમાં ઍવું સ્પષ્ટ જણાવી દેવાયું છે કે હવેથી સચિવ કોઇ પસંદગી બેઠકમાં ભાગ નહીં લઇ શકે અને ટીમમાં વિકલ્પને મંજૂરી આપવા માટે તેની સહમતિની પણ કોઇ જરૂર નહીં રહે.
જૂના બંધારણ હેઠળ પસંદગી સમિતિ બીસીસીઆઇ સચિવના કાર્યક્ષેત્રમાં આવતી હતી. જા કે હવે આ નિર્ણયને પગલે સચિવના જે અધિકાર છે તે મર્યાદિત થઇ જશે. સીઓઍઍ કહ્યું છે કે અમને ઍવું જણાવાયું છે કે બીસીસીઆઇનું નવું બંધારણ લાગુ થવા છતાં પસંદગી સમિતિની બેઠક સચિવ બોલાવી રહ્યા છે. ઍવું પણ જાણવા મળ્યું છે કે ટીમમાં કોઇ ફેરફાર માટે પસંદગી સમિતિ સચિવની મંજૂરી લેતી રહી છે. આ ઉપરાંત પસંદગીકારોના ક્રિકેટ મેચ માટે જવા સંબંધી પ્રવાસો ગોઠવવા માટે પણ સચિવ પાસે જ મંજૂરી લેવી પડતી હતી. બીસીસીઆઇના કામકાજને કોર્ટના આદેશ અને બીસીસીઆઇના નવા બંધારણ હેઠળ ચલાવવા માટે આ નિર્દેશ આપવો જરૂરી હતો.
વિદેશ પ્રવાસ ઉપરાંત પસંદગી સમિતિના અધ્યક્ષ જ પસંદગી સમિતિની બેઠક બોલાવશે, જેમાં મેન્સ ટીમની પસંદગી સમિતિ, જૂનિયર પસંદગી સમિતિ અને મહિલા પસંદગી સમિતિ સામેલ છે. વિદેશ પ્રવાસ માટે વહીવટી મેનેજર બેઠક બોલાવશે. કોઇપણ પદાધિકારી કે સીઇઅો આ બેઠકોમાં ભાગ લઇ શકશે નહીં. સંબંધિત પસંદગી સમિતિ કે વહીવટી મેનેજમેન્ટની બેઠકનું લંબાણપૂર્વક વિવરણ તૈયાર કરવું પડશે. ટીમ પસંદગી કે ફેરફારની જાહેરાત પછી અધ્યક્ષે પોતાના હસ્તાક્ષર સાથે આ વિવરણ સચિવને આપવું પડશે.