ટેસ્ટ ક્રિકેટનો રોમાંચ જાળવી રાખવા અને ખેલાડીઓની સુરક્ષાની દૃષ્ટિઍ તેને વધુ સારું બનાવવા માટે આઇસીસી આગામી ઍશિઝ સિરીઝથી ઍક મોટો ફેરફાર અમલમાં લાવશે અને આ ફેરફાર હેઠળ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલીવાર કોઇ ખેલાડીને માથામાં ઇજા થાય તો તેના સ્થાને અન્ય ખેલાડીને રમવાની મંજૂરી આપવાનું અમલમાં મુકાશે. આ નવા ફેરફારને આઇસીસીની ગવન`ગ કાઉન્સીલની મંજૂરી મળી ગઇ છે. આ ફેરફારને ઇંગ્લેન્ડની યજમાનીમાં 1લી ઓગસ્ટથી શરૂ થઇ રહેલી ઍશિઝ સિરીઝથી લાગુ કરવામાં આવી શકે છે.
આ ફેરફાર બાબતે હાલમાં જ લંડનમાં મળેલી આઇસીસીની વાર્ષિક બેઠકમાં ચર્ચા થઇ હતી. નવેમ્બર 2014માં ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ક્રિકેટર ફિલ હ્યુજના મોત પછી ટેસ્ટ ક્રિકેટમાં કન્કશન સબસ્ટિટ્યૂટની માગ ઉગ્ર બની હતી. ઓસ્ટ્રેલિયામાં તો ડોમેસ્ટિક ક્રિકેટમાં તે લાગુ કરી જ દેવાયું છે.
જો મેચ દરમિયાન કોઇ બેટ્સમેન કે બોલર ઈજાગ્રસ્ત થશે તો તે મેદાનની બહાર જતો રહેશે. અગાઉના નિયમ મુજબ તેના સ્થાને બીજો કોઇ ખેલાડી બેટિંગ કે બોલિંગ કરી શકતો નહોતો અને તે માત્ર ફિલ્ડિંગ જ કરી શકતો હતો. કન્જેશન સબસ્ટિટયૂટ નિયમ લાગુ પડયા બાદ મેદાનમાં આવેલો ખેલાડી બેટિંગ કે બોલિંગ કરી શકશે. ઉદાહરણ તરીકે ભુવનેશ્વરને પગમાં ઇજા થાય અને તેને બહાર જવું પડે તો તેના સ્થાને ૧૫ સભ્યમાંથી કોઇ પણ ખેલાડી નિષ્ણાત બોલર તરીકે તેનું સ્થાન લઇ શકે છે. તેનું સ્થાન કોહલી કે શિખર ધવન લઇ શકતા નથી. જો કોહલી ઈજાગ્રસ્ત થાય તો તેનું સ્થાન કોઇ સ્પિનર કે પેસ બોલર લઇ શકતો નથી.
વર્લ્ડ કપમાં દાઢીમાં બોલ વાગતા ઘવાયેલા એલેક્સ કેરીએ બેટિંગ કરી હતી
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલ દરમિયાન ઇંગ્લેન્ડના જોફ્રા આર્ચરનો એક બાઉન્સર ઓસ્ટ્રેલિયાના એલેક્સ કેરીને જડબાં ઉપર વાગ્યો હતો. આ ઉપરાંત એક મેચમાં સાઉથ આફ્રિકાનો હશિમ અમલાને મેદાન છોડવાની ફરજ પડી હતી અને તે ફરીથી બેટિંગ કરવા માટે મેદાનમાં પાછો ફર્યો નહોતો. બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાના એલેક્સ કેરીને ચહેરા પર બેન્ડેજ લગાવીને રમવાની ફરજ પડી હતી. આ દરમિયાન તેની ઇજામાંથી સતત લોહી નીકળતું રહ્યું હતું.