ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ઍ મંગળવારે મેન્સ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ સહિતના સપોર્ટ સ્ટાફની નિમણૂંક માટે અરજીઓ મગાવી છે. તેના માટે યોગ્યતા જે માપદંડ નક્કી કરાયા છે તે અનુસાર મુખ્ય કોચની વય 60 વર્ષથી ઓછી હોવી જાઇઍ અને સાથે જ તેને ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ પણ હોવો જાઇઍ.
બીસીસીઆઇ દ્વારા મુખ્ય કોચ ઉપરાંત બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફિલ્ડીંગ કોચ, ફિઝિયોથેરાપિસ્ટ, સ્ટ્રેન્થ ઍન્ડ કન્ડિશનિંગ કોચ તેમજ વહીવટી મેનેજરની નિમણૂંક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ તમામ પદ માટે અરજી કરવાની ડેડલાઇન તારીખ 30 જુલાઇના સાંજે 5 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જુલાઇ 2017માં રવિ શાસ્ત્રીને ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂંક અપાઇ તે પહેલા બીસીસીઆઇઍ બનાવેલી 9 મુદ્દાની ગાઇડલાઇનલ સ્પષ્ટ નહોતી. આ વખતે મુખ્ય કોચ, બોલિંગ કોચ અને ફિલ્ડીંગ કોચ માટે 3 મુદ્દાની ગાઇડલાઇન નક્કી કરવામાં આવી છે.
બીસીસીઆઇઍ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ટીમ ઇન્ડિયાના હાલના કોચિંગ સ્ટાફને નિમણૂંકની નવી પ્રક્રિયામાં આપોઆપ ઍન્ટ્રી મળી જશે. બીસીસીઆઇની જે ગાઇડલાઇન છે તેમાં મુખ્ય કોચને ટેસ્ટ રમતા દેશને ઓછામાં ઓછા 2 વર્ષનું કોચિંગ આપવાનો અનુભવ હોવો જાઇઍ અથવા તો ઍસોસિઍટ સભ્ય, ઍ ટીમ કે પછી આઇપીઍલ ટીમને 3 વર્ષ કોચિંગ આપવાનો અનુભવ હોવો જાઇઍ. આ ઉપરાંત અરજી કરનારે 30 ટેસ્ટ અથવા 50 વનડે પણ રમી હોવી જાઇઍ. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગ કોચ માટેની ગાઇડલાઇન સરખી જ છે, માત્ર તેમાં અરજદારે રમેલી મેચની સંખ્યામાં ફરક છે. આ 3 પદ માટેના અરજદારે ઓછામાં ઓછી 10 ટેસ્ટ અથવા 25 વનડે ઇન્ટરનેશનલ રમી હોવી જાઇઍ.