મહેન્દ્ર સિંહ ધોની અને કરાચીમાં જન્મેલા મહંમદ બશીર વચચેનો સંબંધ ભરત અને પાકિસ્તાન વચ્ચે 2011માં રમાયેલી સેમી ફાઇનલ દરમિયાન શરૂ થયો હતો અને ત્યારથી ઍ વધુ ને વધુ મજબૂત બનતો ગયો છે. આ સંબંધ ઍવો છે કે હાલમાં બશીર પાસે ટિકીટ નથી છતાં તેઓ રવિવારે રમાનારી બારત અને પાકિસ્તાનની મેચ માટે શિકાગોથી 6000 કિમી દૂર માન્ચેસ્ટર પહોંચી ગયા છે. કારણ તેમને વિશ્વાસ છે કે તેઓ મેચ જાઇ શકે ઍવું ધોની તેમને કરી આપશે.
આ 63 વર્ષિય પાકિસ્તાની ચાહક શિકાગોમાં રેસ્ટોરન્ટ ચલાવે છે અને પાકિસ્તાની મુળના બશીરને લોકો શિકાગો ચાચા તરીકે જ ઓળખે છે. ધોનીઍ કદી બશીરને નિરાશ નથી કર્યા. બશીર કહે છે કે હું ધોનીને ફોન નથી કરતો હું માત્ર મેસેજ દ્વારા જ તેના સંપર્કમાં રહું છું. મારા અહીં આવતા પહેલા ધોનીઍ મને ટિકીટ થઇ જવાનું આશ્વાસન આપી દીધું હતું.