પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે, તેઓ આઇસીસીની ટેસ્ટ અને વન ડે લીગનો ભાગ ત્યારે બનશે જ્યારે બીસીસીઆઇ દ્વપક્ષિય સિરીઝ રમવા માટે આ બંને દેશોના બોર્ડની સાથે 2014માં થયેલી સમજૂતી પત્રનું સન્માન કરશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નઝમ શેઠીએ લાહોરમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, પીસીબી વર્લ્ડ ટેસ્ટ અને વન ડે લીગમાં ભાગ લેવા માટે દસ્તાવેજ પર ત્યારે સાઇન કરશે જ્યારે ભારત બંને બોર્ડની વચ્ચે સમજૂતી અનુસાર, પાકિસ્તાનની સામે દ્વિપક્ષિય ક્રિકેટ રમવાની શરતો પૂરી કરશે. ઓકલેન્ડમાં આઇસીસી બેઠક વિશે જાણકારી આપતા તેમણે કહ્યું કે, પાકિસ્તાનની નવી આઇસીસી ટૂર્નામેન્ટોમાં ભાગીદારી શરતો પર હશે.
ઉલ્લેખનીય છે કે, આઇસીસીએ ઓકલેન્ડમાં થયેલી બેઠક બાદ જાહેરાત કરી હતી કે, નવ ટીમો વર્લ્ડ ટેસ્ટ લીગમાં ભાગ લેશે. જેનો પ્રારંભ 2019 વિશ્વ કપ બાદ થશે.