ભારતીય ટીમ વર્લ્ડકપમાં ચોથા ક્રમના યોગ્ય બેટ્સમેનના અભાવે સેમી ફાઇનલમાં હારી ગઇ હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે શુક્રવારની બેઠકમાં પસંદગીકારો મિડલઓર્ડરની જે સમસ્યા છે તેના સંયોજન પર વધુ ધ્યાન આપે તેવી સંભાવના છે. ઍવું માનવામાં આવે છે કે આ બેઠકમાં મિડલ ઓર્ડર બાબતે જ વધુ ચર્ચા વિચારણા થઇ શકે છે.
પસંદગીકારો પાસે વિકલ્પ તરીકે મયંક અગ્રવાલ, મનિષ પાંડે અને શ્રેયસ અગ્રવાલ હાજર છે. આ ઉપરાંત શુભમન ગીલનું નામ પણ વિચારાશે. પૃથ્વી શોને પણ ધ્યાને તો લેવાશે જા કે તે ઇજામાંથી હજુ બહાર આવ્યો નથી. દિનેશ કાર્તિક અને કેદાર જાદવના નામ વિચારણામાં પણ નહીં લેવાય. નવા ચહેરામાં રાહુલ ચાહર, નવદીપ સૈની. દીપક ચાહર અને ઓવેશ ખાનના નામ વિચારાશે તો ખલીલ અહેમદનું નામ પણ ધ્યાને લેવાશે. ટીમમાં કેઍલ રાહુલ,
હાર્દિક પડયા, કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલનુ નામ ફાઈનલ છે. પૃથ્વી શોનુ નામ ચર્ચામાં લેવાની વિચારણા હતી પણ તેને જાતે જ ઍવુ જાહેર કર્યું છે હજુ તે પોતાની ઈજામાથી સપૂર્ણ પણે બહાર આવ્યો નથી.