IPL 2025 “મારે મારી જાતને પ્રમોટ કરવાની જરૂર નથી, તમારું સ્ટેડિયમ, તમારી મેચો!” – મમતા બેનર્જીનો કટાક્ષ
IPL 2025 ની ફાઇનલ હવે 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ફાઇનલ પહેલાં ક્વોલિફાયર-1, ક્વોલિફાયર-2 અને એલિમિનેટર જેવી મહત્ત્વપૂર્ણ મેચોના સ્થળમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલેથી નક્કી કરેલા ઈડન ગાર્ડન્સ, કોલકાતાની જગ્યાએ આ હલચલ સર્જાતા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.
મૂળત: IPL ફાઇનલ 25 મેના રોજ કોલકાતા ખાતે રમાવાની હતી, પણ વરસાદની આગાહી અને અન્ય તાકીદના કારણોને કારણે BCCI એ ફાઇનલ માટે નવી તારીખ અને સ્થળ જાહેર કર્યું. હવે, તમામ મહત્વની મેચો ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે, જેને લઈને મમતા બેનર્જીએ તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો છે.
મમતા બેનર્જીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “હું મારા નામે સ્ટેડિયમ કે રેલ્વે લાઈનો નથી બનાવતી. મને પોતાનું નામ ઘસવું નથી. તમે પોતાનું નામ લગાડી સ્ટેડિયમ બનાવ્યું અને હવે દરેક મોટી મેચ ત્યાં જ યોજો છો. કર્ણાટક, બંગાળ, કેરળ જેવા રાજ્યોમાં મેચ કેમ નથી?”
તેમણે વધુમાં કડક ભાષામાં ઉમેર્યું, “મને બધું ખબર છે. જો હું મારું મોં ખોલીશ, તો તમે બહાર કમાયેલી બધી પ્રતિષ્ઠા ગુમાવી દેશો.”
આ ટકરાવની પૃષ્ઠભૂમિ એ છે કે અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જ્યાં 1.32 લાખ દર્શકો બેસી શકે છે. આ દૃષ્ટિએ BCCI એ ત્યાં IPL ની ફાઇનલ રાખવાનું ઠરાવ્યું હોવાનું જણાવાય છે. જોકે, મમતા બેનર્જીનું માનવું છે કે સ્ટેડિયમ કે રાજ્યની ક્ષમતાથી વધુ અહીં રાજકીય લાલસા કામ કરી રહી છે.
હવે, IPL ફાઇનલમાં RCB પહેલેથી પ્રવેશ મેળવી ચૂકી છે, જ્યારે બાકી એક ટીમ ક્વોલિફાયર-2 જીત્યા પછી ફાઇનલમાં પ્રવેશ મેળવશે. IPL ના શેડ્યૂલમાં થયેલા અચાનક ફેરફાર અને તેના પર મમતા બેનર્જીનો આक्रોશ ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો વધારી શકે છે.