ભારતીય ક્રિકેટ ટીમના પ્રતિભાશાળી યુવા બેટ્સમેન અને પોતાની કેપ્ટનશિપમાં ભારતીય અંડર-19 ટીમને ચેમ્પિયન બનાવનાર પૃથ્વી શો ડોપ ટેસ્ટમાં ફેલ જતાં બીસીસીઆઇઍ તેના પર 8 મહિનાનો પ્રતિબંધ લાદ્યો છે. બીસીસીઆઇઍ કુલ ત્રણ ક્રિકેટર પર આ પ્રતિબંધ મુક્યો છે, જેમાં પૃથ્વી શો ઉપરાંત રાજસ્થાનના દિવ્ય ગજરાજ અને વિદર્ભના અક્ષય દુલ્લારવારનો સમાવેશ થાય છે.
બીસીસીઆઇ દ્વારા જારી કરાયેલી પ્રેસ રિલિઝમાં જણાવાયા અનુસાર મુંબઇ ક્રિકેટ ઍસોસિઍશન સાથે નોંધાયેલા પૃથ્વી શોઍ ઇન્દોરમાં 22 ફેબ્રુઆરી 2019૯ના રોજ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ઍક મેચ દરમિયાન બીસીસીઆઇના ઍન્ટી ડોપિંગ ટેસ્ટ કાર્યક્રમ હેઠળ પોતાના યુરિન સેમ્પલ ઉપલબ્ધ કરાવ્યો હતો. આ સેમ્પલના ટેસ્ટમાં મોટાભાગે કફ સિરપમાં જાવા મળતો ટેરબુટાલિન હોવાનું જણાયું હતુ. ટેરબુટાલિન વાડા દ્વારા પ્રતિબંધિત કરાયેલા પદાર્થમાં સામેલ છે. ટેરબુટાલિન શ્વાસ લેવા સંબંધી સમસ્યાઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને ઍથ્લેટે તે લેવા પહેલા થેરાપેટિક યુઝ ઍક્ઝેમ્પશન (ટીયુઇ) સર્ટિફિકેટ લેવાનું હોય છે, જે પૃથ્વીઍ લીધું નહોતું.
પૃથ્વીઍ આ મામલે પોતાની પ્રતિક્રિયામાં પોતાનાથી ભુલથી ઍન્ટી ડોપિંગ નિયમનો ભંગ થયાનું કબુલ્યુ હતુ અને તેણે કહ્યું હતું કે તેણે જાણીજાઇને નહીં પણ પોતાની ખાંસીની સારવાર માટે લીધેલા કફ સિરપને કારણે આ ઉલ્લંધન થયું છે. તમામ પુરાવાઓ અને બહારના નિષ્ણાતની સલાહને અનુસરી બીસીસીઆઇઍ તેની વાતને સ્વીકારી હતી પણ બેદરકારી દાખવવા બદલ તેના પર 8 મહિનાનો આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો.
બીસીસીઆઇઍ આ પ્રતિબંઘ પાછલી તારીખથી લાગુ કરવા સંબંધે જણાવ્યું હતું કે બીસીસીઆઇના ઍન્ટી ડોપિંગ નિયમની કલમ 10.10.3 હેઠળ પૃથ્વી શોઍ આરોપ સ્વીકારી લીધો છે ઍ સ્થિતિમાં તેના પર કલમ 10.10.2 હેઠળ પાછલી તારીખથી પ્રતિબંધ લાગુ કરાયો છે. ડોપ ટેસ્ટમાં ફેલ જવાથી તેના પર માર્ચ ૧૬થી ૧૫ નવેમ્બર સુધીનો પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. જેના કારણે તે ઘરઆંગણે રમાનારી બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝ પણ ગુમાવશે. પૃથ્વી ઉપરાંત રાજસ્થાનના દિવ્ય ગજરાજ અને વિદર્ભના અક્ષય દુલ્લારવાર પર પણ ડોપિંગને કારણે પ્રતિબંધ લદાયો હતો.