Interim President of BCCI: ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા BCCIમાં મોટો ફેરફાર, નવા પ્રમુખની જાહેરાત સુધી શુક્લા સંભાળશે જવાબદારી
Interim President of BCCI: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)માં મોટી ઘટના સર્જાઈ છે. BCCI પ્રમુખ તરીકે રોચર બિન્ની 19 જુલાઈ 2025ના રોજ નિવૃત્ત થયા છે. તેમની જગ્યાએ હાલના ઉપપ્રમુખ રાજીવ શુક્લાને વચગાળાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવા પ્રમુખની ચૂંટણી સપ્ટેમ્બર 2025માં યોજાઈ શકે છે. ત્યાં સુધી શુક્લા BCCIના કાર્યકારી પ્રમુખ તરીકે પદ પર રહેશે.
શા માટે બિન્નીએ પદ છોડ્યું?
રોજર બિન્ની 1983ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના ભાગ હતાં અને ટુર્નામેન્ટમાં ટોપ વિકેટ ટેકર તરીકે છવાયા હતા. BCCIમાં તેઓ 18 ઓક્ટોબર 2022થી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા હતા. પરંતુ BCCIના નિયમ અનુસાર, 70 વર્ષની ઉંમર પછી કોઈપણ અધિકારી પદ પર રહી શકતો નથી. 19 જુલાઈ 2025ના રોજ તેઓ 70 વર્ષના થઈ જશે, એટલે તેમને નિવૃત્તિ લેવી પડી.
રાજીવ શુક્લા કોણ છે અને શું રહેશે તેમની ભૂમિકા?
રાજીવ શુક્લા એક અનુભવી રાજકારણી અને ભૂતપૂર્વ પત્રકાર છે. તેઓ રાજ્યસભાના સાંસદ અને BCCIના ઉપપ્રમુખ તરીકે અત્યાર સુધી સેવાઓ આપી ચૂક્યા છે. ભારતીય ક્રિકેટમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેઓ IPLના આરંભિક વર્ષોમાં ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન પણ રહી ચૂક્યા છે. બોર્ડના આંતરિક કામકાજ અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ તેમનો ઊંડો દખલ રહ્યો છે.
નવા પ્રમુખ તરીકે રાજીવ શુક્લાની શક્યતા?
BCCIમાં એવા અટકળો ચાલી રહી છે કે રાજીવ શુક્લાને સંપૂર્ણ સમયગાળા માટે BCCIના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. તેમનું અનુસંધાન, રાજકીય કુશળતા અને ક્રિકેટ માટે મજબૂત દાવેદાર બનાવે છે. જો કે, અંતિમ નિર્ણય સપ્ટેમ્બર 2025માં યોજાનારી ચૂંટણી પછી જ લેવામાં આવશે.
ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં BCCIના સર્વોચ્ચ પદ પર બદલાવ cricket politics માટે મહત્વનો ચેપ્ટર છે. હવે જોવાનું એ છે કે રાજીવ શુક્લા પછી ક્યા નવા નેતા BCCIનું નેતૃત્વ સંભાળશે.