અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિધ ખાને ઇંગ્લેન્ડ સામેની મેચમાં કરેલી ખરાબ બોલિંગને કારણે થઇ રહેલી સતત ટીકાઓના જવાબમાં કહ્યું હતું કે લોકો 10 સારા દિવસો ભુલીને માત્ર 1 ખરાબ દિવસને સરળતાથી યાદ રાખે છે.
રાશિદે ભારતીય ટીમ સામેની મેચ પહેલા કહ્યું હતું કે હું ઍ મેચ બાબતે વધુ નથી વિચારતો. લોકોને ઍ યાદ કરવાનું સારું નથી લાગતું કે રાશિદે પાછલા 10 દિવસમાં શું કર્યુ હતું. તેણે કહ્યું હતું કે હું ઍ મેચમાં થયેલી ભુલોને આગામી મેચમાં સુધારવા પર ધ્યાન આપીશ. ટીકાઓ બાબતે વિચારવાથી કોઇ ફાયદો નથી થવાનો. કેપ્ટન બદલાતા તેણે નારાજગી દર્શાવી હતી તેથી તેના ગુલબદીન નૈબ સાથેના સંબંધ બાબતે કરાયેલા સવાલ અંગે જવાબ આપતા રાશિદે કહ્યું હતું કે હું ન તો ગુલબદીન માટે રમું છું કે ન તો કોઇ ક્રિકેટ બોર્ડ માટે હું અફઘાનિસ્તાન માટે રમું છું.