Ravi Shastri હું હોત તો વિરાટને ફરી કેપ્ટન બનાવત – રવિ શાસ્ત્રીનો મોટો દાવો
Ravi Shastri ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું છે કે વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ યોગ્ય રીતે સંભાળવામાં આવી હોત તો આજે વાત કંઈક અલગ હોત. વિરાટ કોહલીના નિવૃત્તિને હવે લગભગ એક મહિનો થવા આવ્યો છે, છતાં ક્રિકેટ વિશ્વમાં આ મુદ્દે ચર્ચા શમતી નથી. ઘણા અનુયાયીઓ અને પૂર્વ ક્રિકેટરો માનતા હતા કે વિરાટ પાસે હજુ 3-4 વર્ષની ટેસ્ટ કારકિર્દી બાકી હતી.
રવિ શાસ્ત્રીનું મોટું ખુલાસો
સોની લિવ સાથેની ચર્ચા દરમ્યાન રવિ શાસ્ત્રીએ ખુલાસો કર્યો કે, “જ્યારે કોઈ મહાન ખેલાડી નિવૃત્ત થાય છે ત્યારે તેની મહત્વતાની ખરેખર એ સમયે જ ઓળખ થાય છે. મને લાગે છે કે વિરાટની નિવૃત્તિ વધુ સમજદારીપૂર્વક હેન્ડલ થવી જોઈતી હતી. BCCI અને વિરાટ વચ્ચે વધુ ખુલાસો અને સંવાદ થવો જરૂરી હતો. જો એ સમયે હું સામેલ હોત, તો હું ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી તરત જ તેને ફરીથી કેપ્ટન બનાવી દીધો હોત.”
તેમણે વધુમાં કહ્યું કે વિરાટનું ફોર્મ રોહિત કરતાં સારું હતું અને ટીમ માટે હજુ પણ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે તેમ હતો.
વિરાટ કોહલીનો કેપ્ટન તરીકે રેકોર્ડ જબરદસ્ત રહ્યો છે
વિરાટ કોહલીનો ટેસ્ટ કેપ્ટન તરીકેનો રેકોર્ડ નોંધપાત્ર રહ્યો છે. તેમના નેતૃત્વ હેઠળ ભારતે 68 ટેસ્ટ મેચ રમી, જેમાંથી 40માં જીત મેળવી હતી. જ્યારે રવિ શાસ્ત્રી કોચ હતા, ત્યારે વિરાટને ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા અને ટીમે દેશ-વિદેશમાં ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમોને હરાવવાની વિરાટની આગેવાનીમાં ભારતે સફળતા મેળવી હતી.
️ " , …" – Ravi Shastri
Watch 'Bharat Tum Chale Chalo, Kahani 21-22 ki' from 15th June, only on Sony LIV & Sony Sports Network TV channels pic.twitter.com/yTOdk3THzj
— Sony LIV (@SonyLIV) June 11, 2025
વિરાટની નિવૃત્તિના સમયમાં સમસ્યા હતી
રવિ શાસ્ત્રીના મતે, કોહલીની ટેસ્ટ નિવૃત્તિ એવી રીતે થઈ કે જે યોગ્ય નહીં ગણાય. “વિરાટ માટે વધુ સારી રીતે સંભાળી શકાય તેવી સ્થિતિ હતી. સમય અને વાતચીત બંનેની ઓછીતા રહી,” એમ તેઓએ ઉમેર્યું.
વિરાટ કોહલીના નિવૃત્તિ નિર્ણય પર હજુ પણ મંતવ્યો ઉમટી રહ્યા છે. રવિ શાસ્ત્રી જેવા અનુભવી વ્યક્તિના આ નિવેદનથી એ સ્પષ્ટ થાય છે કે ક્રિકેટમંડળ અને ખેલાડી વચ્ચે વધુ સંવાદ અને સમજદારીથી નિર્ણય લેવાય તો ભારતીય ક્રિકેટના ઘણા મહત્વપૂર્ણ દાવપેચ ટળી શકે.