અમદાવાદ : ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનો નવો બંગલો તૈયાર થઈ રહ્યો છે. પોતાના નવા ઘર માટે રવીન્દ્ર જાડેજા ખૂબ જ ઉત્સાહિત છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી જાડેજા વન-ડે અને ટી20 ટીમનો હિસ્સો નથી જેને કારણે તે અત્યારે ફ્રી છે અને પોતાનો મોટાભાગનો સમય બંગલાની સજાવટમાં આપી રહ્યો છે. તેણે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાના બંગલાની એક તસવીર પોસ્ટ કરી છે. તેણે પોતાના આ બંગલાને ‘ક્રિકેટ બંગલો’ નામ આપ્યું છે.
નવા ઘરનું નામ આપ્યું “ક્રિકેટ બંગલો”
હવે જાડેજાએ આ બંગલાનું નામકરણ જે રીતે કર્યું છે તે જોતા લાગે છે કે, તેની થીમ ક્રિકેટ પર આધારિત હશે. બની શકે છે કે, ઘરમાં ઈન્ટિરિયરમાં જે વસ્તુઓ લગાડવામાં આવે તે ક્રિકેટ સાથે કનેક્ટેડ હોય. જોકે થીમ કેવા પ્રકારની હશે તે તો જાડેજાની પસંદ પર જાય છે પણ એટલું નક્કી છે કે, જે પણ હશે કંઈક ખાસ અને અલગ જરૂરથી હશે. ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજાનું રાજકોટનું રેસ્ટોરન્ટ પણ ક્રિકેટની થીમ પર બનાવવામાં આવ્યું છે. જેને પગલે એવું માની શકાય કે તેનું નવું ઘર પણ ક્રિકેટના બેકગ્રાઉન્ડ સાથે જોવા મળી શકે છે.
https://www.instagram.com/p/Bc1obYmFh4-/?taken-by=royalnavghan
જામનગરમાં ફ્લેટમાં રહે છે જાડેજા
રવિન્દ્ર જાડેજા અત્યારે જામનગરમાં જોગર્સ પાર્ક વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં રહે છે. જાડેજાનો નવો બંગલો જામનગરમાં પોશ ગણાતા પંચવટી વિસ્તારમાં 6 બીએચકે બંગલો છે. જેમાં હોમ થિયેટર અને જીમ સહિતની અનેક સુવીધાઓ છે. જાડેજા જાતે આ બંગલાની મુલાકાત લઇ જરૂરી સલાહ સુચન કરતો રહેતો હતો. જાડેજા પત્ની રીવાબા સાથે ટુંક સમયમાં આ બંગલામાં ગૃહ પ્રવેશ કરશે.
સાઉથ આફ્રિકા સીરીઝ માટે ટુંસ સમયમાં ટીમ ઇન્ડિયા સાથે જોડાશે
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ જામનગરની સ્થાનીક મેચમાં રમતી વખતે જાડેજાએ છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા હતા. હવે જાડેજાને સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝમાં રમવાની તક મળશે. આ સીરીઝ 5 જાન્યુઆરીથી થઈ રહી છે ત્યારે જાડેજા પાસે પોતાના ઘરની સજાવટ માટે હજુ થોડો સમય છે.