વેસ્ટઇન્ડિઝ સામેની મેચમાં રોહિત શર્માને થર્ડ અમ્પાયરે આપેલા વિવાદાસ્પદ આઉટથી રોહિત શર્મા ખાસ્સો નારાજ થયો હતો, જો કે તેણે પોતાની નારાજગી મેદાન પર બતાવી નહોતી અને ત્યાંથી તે પેવેલિયન ચાલ્યો ગયો હતો. હવે ઍ મેચ પત્યા પછી રોહિત શર્માઍ જાતે ટ્વિટર પર ઍક ફોટો શેર કરીને ઍવું સાબિત કરી બતાવ્યું છે કે બોલ તેની બેટને જરાપણ અડ્યો નહોતો. જા કે તેણે ઍ ફોટો શેર કરીને તેની સાથે કંઇ લખ્યું નથી.
તેણે શેર કરેલા ફોટોમા જાવા મળે છે કે તેની બેટ અને બોલ વચ્ચે ઘણું અંતર છે અને થર્ડ અમ્પાયરે ધાર્યુ હોત તો તેઅો જે રીતે કેચ આઉટ વખતે ઍકદમ નજીકથી રિવ્યુ જુઍ છે તે રીતે રોહિતના કિસ્સામાં જોઇ શક્યા હોત. આમ પણ ક્રિકેટમાં બેનિફીટ અોફ ડાઉટ હંમેશા બેટ્સમેનની તરફેણમાં રહે છે. પણ થર્ડ અમ્પાયરે ઍવી કોઇ તસદી ન લીધી અને તેમણે રોહિતને આઉટ આપી દીધો. હવે આ ફોટો શેર કરીને રોહિતે પોતે નોટઆઉટ હોવાનું સાબિત તો કરી દીધું છે, ત્યારે અમ્પાયરની આ ભુલ સામે આઇસીસીના નિયમ શું કહે છે ઍવું ચાહકો પુછી રહ્યા છે.