Ruturaj Gaikwad ઋતુરાજ ગાયકવાડની કપ્તાની હેઠળ, મહારાષ્ટ્રે પંજાબને 70 રને હરાવીને વિજય હજારે ટ્રોફીની સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો
Ruturaj Gaikwad વિજય હજારે ટ્રોફી 2024-25ની ત્રીજી ક્વાર્ટર ફાઇનલમાં મહારાષ્ટ્રે પંજાબને 70 રનથી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની મહારાષ્ટ્રની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં અર્શિન કુલકર્ણીએ સદી ફટકારીને મહત્વની ભૂમિકા ભજવી હતી, જ્યારે નિખિલ નાયકે અણનમ અડધી સદી ફટકારી હતી. પંજાબના સુકાની અભિષેક શર્મા આ મેચમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નહોતા અને નિર્ધારિત લક્ષ્યનો પીછો કરતી વખતે તેની ટીમ આખરે 70 રનથી હારી ગઈ હતી.
પ્રથમ બેટિંગ કરતા મહારાષ્ટ્રે પંજાબને 275 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઋતુરાજ ગાયકવાડ અને અરશિન કુલકર્ણીએ ઓપનિંગ કરી હતી, પરંતુ રિતુરાજ માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ પછી સિદ્ધેશ વીર બેટિંગ કરી, પરંતુ તે પણ વહેલો આઉટ થઈ ગયો. ત્યારબાદ અંકિત અને અર્શીન વચ્ચે સારી ભાગીદારી જોવા મળી હતી. અંકિતે 7 ચોગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા જ્યારે અર્શિને શાનદાર સદી ફટકારી હતી. તેણે 14 ચોગ્ગાની મદદથી 107 રન બનાવ્યા હતા. નિખિલ નાયકે અણનમ 52 રન બનાવ્યા અને મહારાષ્ટ્રને 274 રનના પડકારજનક સ્કોર બનાવવામાં મદદ કરી.
https://twitter.com/BCCIdomestic/status/1878041993085059218
275 રનના ટાર્ગેટનો પીછો કરતા પંજાબની ટીમ 44.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પંજાબ તરફથી અનમોલપ્રીત સિંહે 48 રન બનાવ્યા જેમાં 3 ફોર અને 1 સિક્સ સામેલ હતી. કેપ્ટન અભિષેક શર્મા 4 ચોગ્ગાની મદદથી 19 રન બનાવી વહેલો આઉટ થયો હતો. અર્શદીપ સિંહે અંતમાં પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ તે ટીમ માટે પૂરતો સાબિત થયો નહીં. અર્શદીપે 39 બોલમાં 49 રન બનાવ્યા જેમાં 3 ફોર અને 3 સિક્સ સામેલ હતી. રમનદીપ સિંહ 2 રન બનાવીને આઉટ થયો હતો. આમ, પંજાબનો 70 રને પરાજય થયો અને મહારાષ્ટ્રે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું.