ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે ઇટાલીમાં બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન કરી લીધા છે. વિરાટ અને અનુષ્કારએ પરિવારજનો તથા નજીકના લોકોની હાજરીમાં સાત ફેરા ફરીને એકબીજાના થઈ ગયા.
કોહલીએ ટ્વિટ કરીને આ વાતની પુષ્ટિ કરી. કોહલીએ તેના ટ્વિટની સાથે એક તસવીર શેર કરીને લખ્યું, ‘આજે અમે એકબીજાના પ્રેમમાં કાયમ માટે ખોવાઇ જવાનો વાયદો કર્યો.’
કોહલીએ આગળ લખ્યું, ‘અમે આ ખબર તમારી સાથે શેર કરવા ઈચ્છીએ છીએ. મિત્રો, પરિવારજનો અને પ્રશંસકોની શુભેચ્છાથી આ દિવસ ખાસ બની ગયો. અમારી સફરના મહત્વનો હિસ્સો બનવા માટે આભાર.’
આ ખાસ અવસર પર વિરાટ અને અનુષ્કા બંનેએ જાણીતા ડિઝાઇનર સબ્યસાચી મુખર્જી દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા વેડિંગ ડ્રેસ પહેર્યા હતા. મેરેજમાં દૂલ્હા-દુલ્હનમાં આ બંને ખૂબ સુંદર લાગતા હતા.
વિરાટ અને અનુષ્કા માટે વેડિંગ ડ્રેસ ડિઝાઇન કરીને સબ્યાસાચી ખૂબ ખુશી અનુભવી રહ્યા છે. અનુષ્કા મેરેજ, મહેંદી અને સગાઇમાં સબ્યસાચીએ ડિઝાઇન કરેલી જ્વેલરી અને ડ્રેસમાં નજરે પડી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ સબ્ચાસાચીએ ડિઝાઇન કરેલા વેડિંગ ડ્રેસ પહેરીને વિરાટ અને અનુષ્કા જિંદગીમાં નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા હોવાનો તેમને આનંદ છે.
અનિશકા લગ્ન દરમિયાન પિંક લાહંગે માં જોવા મળી હતી. જેના પર સિલ્વર-ગોલ્ડ મેટલ થ્રેડ અને મોતીથી ઇન્બ્રોડરી કરવામાં આવી હતી. અનુષ્કાએ જે ઘરેણા પહેર્યા હતા તેને હાથેથી બનાવવામાં આવ્યા હતા અને તેમાં એક સુંદર ડાયમંડ લગાવવામાં આવ્યો હતો. આ ધરેણા અને જ્વેલરી સબ્યસાચી મુખરજીનું હેકીટેજ કલેશન હતું જેનો કલર હળવો પિળો અને ગુલાબી છે. જેમાં જાપાની મોતી પણ જોડવામાં આવ્યા હતા.
લગ્ન દરમ્યાન અનુષ્કાએ ગળામાં ડાયમંડનો ચોકર, ઇયરીંગ્સ અને માથાપટ્ટી સાથે જોવા મળી હતી. તો લગ્નમાં વિરાટ કોહલી પણ સબ્યસાચી મુખરજીની ડિઝાઇન કરેલી શેરવાની પહેરી હતી. સબ્યસાચીએ પોતે ઇન્સ્ટેગ્રામ પર વિરાટ અને અનુષ્કારની ફોટો શેર કરીને જણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે વિરાટની શેરવાનીમાં બનારસી પેટર્ન અને હાથથી તૈયાર કરેલી એમ્બ્રોયડરી લગાવવામાં આવી હતી અને તેમાં સિગ્નેચર હાઉસ બટન લગાવવામાં આવ્યું હતું.
શેરવાનીમાં વિરાટ કોહલીના માથે પર સિલ્ક કોટા સાફો બાંધ્યો હતો. વિરાટ કોહલીએ જે પણ એક્સેસરીઝ પહેરી હતી તે તમામ સબ્યસાચીએ ડિઝાઇન કરેલી હતી.
વિરાટ અને અનુષ્કા ઇટલીથી સીધા જ દક્ષિણ આફ્રિકા જશે. જ્યાં વિરાટ અને અનુષ્કા નવું વર્ષ સાથે મનાવશે. અનુષ્કાના પ્રતિનિધિએ આની પુષ્ટિ કરી છે. જે બાદ અનુષ્કા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ભારત પરત ફરશે અને આનંદ એલ. રાયની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થઈ જશે. આ ફિલ્મમાં શાહરૂખખાન તેનો હીરો છે.
વિરાટ અને અનુષ્કા વચ્ચે 4 વર્ષથી અફેયર હતું. મેરેજ માટે બંનેએ ઇટલીના બોર્ગો ફિનોચિએટો લક્ઝરી રિસોર્ટ પર પસંદગી ઉતારી. આ સ્થાન ફ્લોરેન્સથી 100 કિલોમીટર દૂર છે.