ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર ઘણો નારાજ છે. સચિન તેંડુલકરે ટ્વીટ કરીને ટ્વીટર ઈન્ડિયાને કહ્યું કે તે પોતાની દિકરી સારા તેંડુલકર અને દિકરા અર્જુન તેંડુલકરના ખોટા એકાઉન્ટને જલ્દી જ ડીલીટ કરી દેશે. ઉલ્લેખનીય છે કે હાલમાં મીડિયા અને ફેન્સમાં આ ખબર ખૂબ જ ઝડપથી ચાલી રહી છે કે સારા તેંડુલકરનું અફેર મુકેશ અંબાણીના દિકરા અનંત અંબાણી સાથે ચાલે છે.
આ ઉપરાંત સારા તેંડુલકરની ફોટો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. આ ઉપરાંત ટ્વીટર પર સારાનું ફેક એકાઉન્ટમાં એવા ટ્વીટ કરાયા છે કે જેમાં સચિનને પરેશાની થાય. આટલું જ નહીં અર્જૂન તેંડુલકરને લઈને દરેક સમયે ખબર આવતી રહે છે કે શું તેઓ ક્યારેય ભારતીય ટીમનો હિસ્સો બની શકશે. તેવામાં દરેક સમાચારથી પરેશાન સચિને ટ્વીટર પર પોતાનો ગુસ્સો રજૂ કર્યો અને ટ્વીટર ઈન્ડિયાને આવો નિર્દેશ આપ્યો છે.