ભારતીય ક્રિકેટ ચાહકોમાં ટીમ ઇન્ડિયાના ઓપનર શિખર ધવનની ઇજા મામલે ચિંતાનો માહોલ છે, ત્યારે ભારતીય ટીમના બેટિંગ કોચ સંજય બાંગરે ન્યુઝીલેન્ડ સામે ગુરૂવારે રમાનારી મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં ધવનની ઇજા બાબતે અપડેટ આપીને કહ્યું હતું કે ધવન 10થી 12 દિવસ ક્રિકેટ રમી શકશે નહીં. તેના કારણે ચિંતાનો માહોલ થોડો ઘટ્યો છે.
બાંગરે કહ્યું હતું કે અમે સતત શિખરની ઇજાનું મોનિટરિંગ કરી રહ્યા છે, તેની ઇજા સારી થવામાં ૧૦થી ૧૨ દિવસનો સમય લાગી શકે છે. જ્યારે જરૂર પડશે ત્યારે અમારી પાસે વિકલ્પ તરીકે વિજય શંકર છે. સૌથી સારી વાત ઍ છે કે અમારી પાસે સારા બેકઅપ ખેલાડીઓ છે.
ઍ ઉલ્લેખનીય છે કે ગઇકાલે ઍવું કહેવાયું હતું કે ધવન ઓછામાં ઓછો ત્રણ અઠવાડિયા મતલબ કે 21 દિવસ સુધી રમી શકે તેમ નથી, ત્યારે બાંગરે આપેલા અપડેટમાં સીધા 10 દિવસ જેવો ઘટાડો થયો તેનાથી ભારતીય ક્રિકેટ ચાહકોમાં રાહતની લાગણીન ફેલાઇ છે. ઋષભ પંત ટીમ સાથે જોડાવા બાબતે બાંગરે કહ્યું હતું કે હા તે ટી સાથે જોડાઇ રહ્યો છે અને માન્ચેસ્ટરમાં પાકિસ્તાન સામેની મેચ દરમિયાન તે ટીમની સાથે હશે.