સુનિલ ગાવસ્કરે વર્લ્ડકપ પછી પણ વિરાટ કોહલીને ભારતીય ટીમના કેપ્ટન પદે જાળવી રાખવા સામે સવાલ ઉઠાવીને પસંદગી સમિતિને નબળી ગણાવી હતી. અને સાથે જ ઍવું લખ્યું હતું કે ટેસ્ટ વનડે અને ટી-૨૦માં કેપ્ટન અલગઅલગ હોવો જોઇઍ. જો કે ભારતીય ટીમના માજી બેટ્સમેન અને હાલના કોમેન્ટેટર સંજય માંજરેકરે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને પસંદગી સમિતિ મામલે દિગ્ગજ બેટ્સમેન સુનિલ ગાવસ્કર દ્વારા કરાયેલી ટીકા પ્રત્યે સન્માન સહ અસહમતિ દર્શાવીને કહ્યુંં હતું કે પસંદગીકારો માટે તેમના પદ કરતાં વધુ જરૂરી ગુણ પ્રામાણિકતાનો હોય છે, સાથે જ તેણે ઍવું પણ કહ્યું હતું કે વર્લ્ડકપમાં ભારતીય ટીમ પાસે જે આશા રખાતી હતી તેનાથી ઍટલું ખરાબ ઍ ટીમ રમી નથી.
માજી મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે પોતાના લેખમાં સમિક્ષા બેઠક કર્યા વગર જ કોહલીને ટીમના કેપ્ટન તરીકે જાળવી રાખવા મામલે સવાલ ઉઠાવ્યો હતો અને લખ્યું હતું કે ઍવું લાગે છે કે ઍમઍસકે પ્રસાદની આગેવાની હેઠળની પસંદગી સમિતિ નબળી છે અને ટીમ મેનેજમેન્ટ સાથે કામ કરવાનું તેમનું લેવલ નથી.
આ મામલે માંજરેકરે ટ્વિટ કરીને લખ્યું હતું કે ભારતીય પસંદગીકારો અંગે અને વિરાટ કોહલીને કેપ્ટન તરીકે જાળવી રાખવા બાબતે ગાવસ્કર સરના દૃષ્ટિકોણથી હું સંપૂર્ણ સન્માન સાથે અસહમત છું. વર્લ્ડકપમાં ભારતીય ટીમનું પ્રદર્શન ઍટલું ખરાબ નહોતું. તેઓ ૭ મેચ જીત્યા અને બે મેચ હાર્યા, તેમાંથી છેલ્લી મેચ તો ખુબ જ નજીવા માર્જીનથી હાર્યા. અને પસંદગીકારોના રૂપમાં તેમના લેવલ કરતા વધુ મહત્વનો ગુણ પ્રામાણિકતાનો હોય છે. ગાવસ્કરે કોહલીની કેપ્ટનશિપ અંગે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે વર્લ્ડકપમાંથી ટીમ બહાર થઇ છતાં કોહલી કેપ્ટન પદ માટે આપમેળે કેવી રીતે પસંદ કરાયો, તેના અને ટીમના પ્રદર્શનની સમિક્ષા થવી જાઇતી હતી.