પાકિસ્તાની ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદે ઍવું સ્વીકાર્યુ હતું કે 90ના દશકમાં પાકિસ્તાની ટીમ સારી હતી પણ હાલમાં ભારતીય ટીમ શ્રેષ્ઠ છે. ભારત સામેના 89 રનના પરાજય પછીની પ્રેસ કોન્ફરન્સમાં સરફરાઝ પર મીડિયાઍ સવાલોનો જારદાર મારો ચલાવ્યો હતો. તેને જ્યારે ઍવું પુછાયું કે શું આટલા વર્ષોમાં ભારત-પાકિસ્તાનની પ્રતિસ્રર્ધાનો રોમાંચ ખતમ થઇ ગયો છે. ત્યારે સરફરાઝે જવાબ આપ્યો હતો કે અમે પ્રેશરનો યોગ્ય રીતે સામનો કરી શકતા નથી. આ પ્રકારની મેચોમાં પ્રેશરને સારી રીતે હેન્ડલ કરનારી ટીમ જ જીતે છે.
પાકિસ્તાની વડાપ્રધાને ટોસ જીતીને દાવ લેવાની સલાહ આપી હતી પણ સરફરાઝે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી, ઍ સંબંધિત સવાલના જવાબમાં તેણે પોતાના નિર્ણયને યોગ્ય ગણાવીને કહ્યું હતું કે મારી ટીમ રમતના ત્રણેય પાસામાં નિષ્ફળતાને કારણે હારી છે. તેણે કહ્યું હતું કે વિરાટે પણ કહ્યું જ હતું કે જા તે ટોસ જીત્યો હોત તો તેણે પણ ફિલ્ડીંગ જ પસંદ કરી હોત. અમે બે દિવસથી પીચ જાઇ નહોતી. તેના પર ભીનાશ હતી, તેથી મે ફિલ્ડીંગનો નિર્ણય કર્યો, પણ બોલરો શિસ્તબદ્ઘ બોલિંગ પ્રદર્શન ન કરી શક્યા.