ભારતીય ટીમ સામેની મેચમા હાર્યા પછી ટીકાઓનો મારો સહન કરી રહેલા પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહેમદે પોતાના સાથી ખેલાડીઓને એવી તાકિદ કરી છે કે જો વર્લ્ડ કપની બાકીની મેચોમાં તેમના પ્રદર્શનમાં સુધારો નહીં થાય તો સ્વદેશમાં વધુ અપમાન સહન કરવાની તૈયારી રાખજો. ભારત સામેની મેચમાં 89 રને પરાજીત થયા પછી પાકિસ્તાની ક્રિકેટરોએ પોતાના ચાહકો અને માજી ખેલાડીઓની ટીકા સહન કરવાનો વારો આવ્યો હતો.
પાકિસ્તાનના પાચ મેચમાં માત્ર ત્રણ પોઇન્ટ છે. સરફરાઝે સ્વીકાર્યું હતું કે જો આવું જ પ્રદર્શન ચાલું રહ્યું તો પાકિસ્તાનમા અમારે વધુ અપમાન સહન કરવું પડશે. તેણે ન્યુઝ.કોમ.પીકે સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જો કોઇ એમ વિચારતું હોય કે હું ઘરે પાછો ફરી જઇશ તો તે મજાક કરે છે. ભગવાન ન કરે કે એવું કંઇ થાય તો પણ હું એકલો તો ઘરે નહીં જ જાઉ. તેણે કહ્યું હતું કે ખરાબ પ્રદર્શનને ભુલીને બાકીની ચાર મેચમાં સારું રમવું પડશે. પાકિસ્તાને હવે 23 જૂને દક્ષિણ આફ્રિકા સામે રમવાનું છે.