ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ આ મહિને ટીમ ઇન્ડિયાના કોચની પસંદગી કરશે, બોર્ડે તેના માટે ક્પિલ દેવની અધ્યક્ષતાવાળી ૩ સભ્યોની સલાહકાર સમિતિને જવાબદારી સોંપી છે. હાલના કોચ રવિ શાસ્ત્રી અને તેની ટીમને આ પ્રક્રિયા માટે સીધી ઍન્ટ્રી મળી છે. સૂત્રોનું કહેવું છે કે હાલના કોચ રવિ શાસ્ત્રીને જ કોચ પદે જાળવી રાખવામાં આવે તેવી સંભાવના છે. તેને આગામી બે વર્ષ સુધી પોતાના કાર્યકાળનો ઍક્સટેન્શન મળી શકે છે.
ક્રિકેટરમાંથી કોમેન્ટેટર અને તે પછી કોચ બનેલા શાસ્ત્રીનો કાર્યકાળ આગામી 2020ના ટી-20 વર્લ્ડકપ સુધી લંબાવી દેવામાં આવે તેવી શક્યતા છે. આજથી લઇને ૨૦૨૧ સુધી ભારતે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનો છે. જેની શરૂઆત વેસ્ટઇન્ડિઝ પ્રવાસથી જ કરવામાં આવશે. તે પછી ૨૦૨૦થી આઇસીસીની વન ડે ચેમ્પિયનશિપની શરૂઆત પણ થઇ જશે. આ સ્થિતિમાં હાલમાં શાસ્ત્રીને જ ઍ જવાબદારી સોંપવામાં આવી શકે છે કે તે ટીમ ઇન્ડિયા માટે આગળની વ્યુહરચના નક્કી કરે.
રવિ શાસ્ત્રી કોચ તરીકે ટીમ ઇન્ડિયાની પહેલી પસંદ છે. કેપ્ટન કોહલીઍ પણ વેસ્ટઇન્ડિઝ રવાના થતાં પહેલા કહ્યું હતું કે જો રવિ ભાઇ કોચ બનશે તો અમને ખુશી થશે. કોચ પદ માટે દાવેદારી કરનારાઓમાં ટોમ મુડી સૌથી મોટું નામ ગણાય છે.
શાસ્ત્રીના કોચિંગમાં ભારતની જીતની ટકાવારી 70 ટકા
ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમની જીતની ટકાવારી 70 ટકા જેવી રહી છે. જેમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ જીતવા સહિત ઍશિયા કપના બે ટાઇટલ ઉપરાંત વર્લ્ડકપમાં સેમી ફાઇનલ સુધીનો પ્રવાસ કર્યો છે. જો કે તેના કોચિંગ દરમિયાન જ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ૧-૨થી અને ઇંગ્લેન્ડના પ્રવાસમાં ૧-૪થી ટેસ્ટ સિરીઝ ગુમાવી ચુકી છે.
શાસ્ત્રી ઉપરાંત બોલિંગ કોચ તરીકે ભરત અરુણ પણ લગભગ નક્કી
ભારતીય ટીમના મુખ્ય કોચ પદે રવિ શાસ્ત્રીનું નામ જે રીતે લગભગ નક્કી મનાય રહ્યું છે તે રીતે જ બોલિંગ કોચ તરીકે ભરત અરુણનું નામ પણ લગભગ નક્કી જ છે. ભરત અરુણની દેખરેખમાં છેલ્લા બે વર્ષમાં ભારતીય ટીમનું બોલિંગ આક્રમણ વૈશ્વિક તખ્તે પહેલાથી વધુ પ્રભાવક બન્યું છે. આ સમયગાળા દરમિયાન ભારતીય ટીમના બોલિંગ આક્રમણે લાલ અને સફેદ બંને બોલના ક્રિકેટમાં પોતાની અલગ છાપ છોડી છે.
સંજય બાંગરને સ્થાને નવો બેટિંગ કોચ મળે તેવી પુરી સંભાવના
ભારતીય ટીમના કોચિંગ સ્ટાફમાં રવિ શાસ્ત્રી અને ભરત અરુણને ઍક્સટેન્શન મળે તેવી સંભાવના પ્રબળ છે ત્યારે સંજય બાંગરને બેટિંગ કોચ પદેથી રૂખસદ આપી દેવામાં આવે તેવી પણ પુરી શક્યતા છે. મતલબ કે ટીમ ઇન્ડિયાને નવો બેટિંગ કોચ મળશે ઍ નક્કી છે, આ પદ માટે કોચ પદ માટે અરજી કનારાઓમાંથી પણ ઍકાદને પસંદ કરી લેવામાં આવે તો નવાઇ નહીં. આ ઉપરાંત પ્રવીણ આમરેઍ પણ બેટિંગ કોચ બનવા માટે અરજી કરી છે.