ઓસ્ટ્રેલિયા સામેની શનિવારે રમાયેલી મેચમાં મેચમાં 87 રને પરાજય પછી શ્રીલંકાની ટીમે નિયમ અનુસારની મીડિયા જવાબદારી પુરી કરી નહોતી અને તેમના આ પગલાંને કારણે આઇસીસી હવે શ્રીલંકા સામે શિક્ષાત્મક પગલાં લઇ શકે છે. ઓસ્ટ્રેલિયા સામેના પરાજયથી નિરાશ શ્રીલંકાના કેપ્ટન દિમૂથ કરુણારત્ને અને શ્રીલંકાના અન્ય ખેલાડી અનિવાર્ય ગણાતી પ્રેસ કોન્ફરન્સ અને મિક્સ્ડ ઝોનમાં નહી જવાનો નિર્ણય કર્યો હતો. તેમના આ નિર્ણયને પગલે હવે આઇસીસી દ્વારા તેમને દંડ ફટકારવામાં આવી શકે તેમ છે.
આઇસીસીના પ્રવકતાને જ્યારે ઍવું પુછાયું કે પ્રેસ કોન્ફરન્સમાં ન આવવાથી શું શ્રીલંકાઍ સજાનો સામનો કરવો પડશે ત્યારે તેમણે જણાવ્યું હતું કે હાં શ્રીલંકાઍ અમને કહ્યું હતું કે તેઓ પ્રેસ કોન્ફરન્સ નથી કરવા માગતા, આઇસીસી આ મામલે તેમની સાથે વાત કરશે. ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા શ્રીલંકાની ટીમના મેનેજર અસંથા ડિ મેલે આઇસીસી પર સાવકો વ્યવહાર રાખવાનો આરોપ મુકીને ટીકા કરી હતી.
ડિમેલે હાલના વર્લ્ડ કપમાં શ્રીલંકાને જે વિકેટ ઉપલબ્ઘ કરાવવામાં આવી રહી છે તે નિમ્ન સ્તરની હોવાની ફરિયાદ કરી હતી. સાથે જ તેમને અપૂરતી ટ્રેનિંગ, પરિવહનની સુવિધા મામલે પણ ફરિયાદ કરી હતી. શ્રીલંકાના અખબાર ડેઇલી ન્યૂઝે ડિ મેલના હવાલાથી કહ્યું હતું કે જે વિશ્વ કપમાં ટોચના 10 દેશ ભાગ લઇ રહ્યા છે ત્યાં બધાની સાથે બરોબરીનો વ્યવહાર થવો જાઇઍ. તેમણે કહ્યું હતું કે અન્ય ટીમોને ડબલ ડેકર બસ જ્યારે અમને ઓછી સુવિધા અને સાંકડી હસ ઉપલબ્ધ કરાવાઇ રહી છે.