નાગપુર : આજથી શરૂ થયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે. કોલકત્તામાં રમાયેલી પહેલી રોમાંચક ટેસ્ટ મેચમાં જીતની નજીક આવ્યા બાદ ડ્રોમાં પરીણમી હતી. આમ આજે બન્ને ટીમે ટેસ્ટ સીરીઝમાં પોતાની પહેલી જીત મેળવીને સીરીઝને રોમાંચક કરવાના મુડમાં હશે. ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયામાં આજેની ટેસ્ટમાં ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને ઓપનર શિખર ધવન નથી રમી રહ્યા. આજે ટીમ ઇન્ડિયામાં ભુવનેશ્વર કુમારની જગ્યાએ રોહીત શર્માને અને શિખર ધવનની જગ્યાએ મુરલી વિજયને તો મોહમ્મદ શમીની જગ્યાએ ઇશાંત શર્માને તક આપવામાં આવી છે.
ટીમ ઇન્ડિયા:
વિરાટ કોહલી(સુકાની), મુરલી વિજય, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, અજીંક્ય રહાણે, આર. અશ્વીન, રીદ્ધીમાન સહા(વિકેટ કિપર), રવીંદ્ર જાડેજા, રોહીત શર્મા, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ.
ટીમ શ્રીલંકા:
દિનેશ ચાંદિમલ(સુકાની), દિમુથ કરૂણાર્તને, સદીરા સમારાવિક્રામા, એંજેલો મેથ્યુસ, લાહીરૂ થિરિમાને, રંગના હેરાથ, સુંરગા લકમલ, દિલરૂવાન પરેરા, લાહિરૂ ગમાગે, દસુન શનાકા, નિરોશન ડિકવેલા(વિકેટ કિપર).